કોરોના સંક્રમણ કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંયોજિત પીએમ કેયર્સ ફંડની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યાં છે. આ અગાઉ ગુરુવારના રોજ કોંગ્રેસના પ્રધાનમંત્રી કેયર ફંડમાં મળેલા વિદેશી ફંડને લઇને પ્રશ્નાર્થ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસના મુખપત્ર નેશનલ હેરાલ્ડના એક સમાચારના સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું છે કે - 'પીએમ કેયર્સ, ચાલો ટ્રાંસપરેંસી (પારદર્શિતા)ને વડક્કમ (નમસ્તે).'
રાહુલ ગાંધીએ જ્યારે શેર કરી છે તેમા દાવો કરવામાં આવ્યો છે કે 'પીએમ કેયર ફંડ પર સંશય છે. સરકાર આ વાત પર સ્પષ્ટ નથી કે આ સરકારી ફંડ છે અથવા કોઇની ખાનગી સંપત્તિ છે.' જ્યારે બીજી તરફ ગુરુવારના રોજ કોંગ્રેસે પીએમ કેયર્સ પર સવાલ કર્યો હતો.
કોંગ્રેસે 'પીએમ કેયર્સ' ફંડમાં મળેલા વિદેશી અનુદાનની તપાસ અંગે માગ કરી
કોંગ્રેસે ''પીએમ કેયર્સ' ફંડને લઇને બુધવારના રોજ સરકાર પર નિશાન તાક્યું અને કહ્યું કે તેને મળનારી વિદેશી અનુદાન અંગે તપાસ થવી જોઇએ. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ ફંડને અંગે પુછવામાં આવતા સવાલનો જવાબ મળે તેવું કરવું જોઇએ અને તેને મળેલા રૂપિયાનું વિવિરણ સાર્વજનિક કરવું જોઇએ.
6/6
The intriguing case of foreign donations, including from China, Pak & Qatar to #PMCaresFund !
Questions to PM-:
9. Why is the Fund then not a ‘Public Authority’?
10. Why is Fund not audited by CAG or GOI & report made public as substantial foreign donations were received? https://t.co/CvssBLkQLr
તેઓએ ટ્વિટ કર્યું કે ચીન, પાકિસ્તાન અને કતરથી પીએમ કેયર્સમાં રુપિયા લેવાનો મામલો છે. પ્રધાનમંત્રીને સવાલ છે કે ભારતીય દૂતાવાસે પીએમ કેયર્સનો પ્રચાર કેમ કર્યો અને તેમાન અનુદાન કેમ લીધું ? પ્રતિબંધિત ચીની એપ પર આ ફંડનો પ્રચાર કેમ કરવામાં આવ્યો?'
આ અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સુરજેવાલાએ સવાલ કર્યો કે પાકિસ્તાન અને કતરથી કેટલા રુપિયા અને કોણે અનુદાન કર્યું? સુરજેવાલાએ પૂછ્યું કે આ ફંડને વિદેશી અનુદાન નિયમન અધિનિયમ (FCRA) થી અલગ કેમ રાખવામાં આવ્યું છે? શું આ ભારત એકમાત્ર એવું ટ્ર્સ્ટ નથી, જેને આ કાયદામાંથી બહાર રાખવામાં આવ્યું હોય?
करनाल के संत बाबा राम सिंह जी ने कुंडली बॉर्डर पर किसानों की दुर्दशा देखकर आत्महत्या कर ली। इस दुख की घड़ी में मेरी संवेदनाएँ और श्रद्धांजलि।
कई किसान अपने जीवन की आहुति दे चुके हैं। मोदी सरकार की क्रूरता हर हद पार कर चुकी है।
સંતે પોતાની જાતને ગોળી મારી આપઘાત કરતા રાહુલ ગાંધી રોષે ભરાયા હતાં
ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ ટ્વિટ કર્યું હતું કે કુંડલીની સરહદ પર ખેડૂતો ની દુર્દશા જોઇને કરનાલના સંત બાબા રામ સિંહ જીએ આત્મહત્યા કરી છે. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદનાઓ અને શ્રદ્ધાંજલિ. કોંગ્રેસના સાંસદે વધુમાં લખ્યું હતું કે ઘણા ખેડૂતો એ પોતાનો જીવ બલિદાન આપ્યો છે. મોદી સરકારે ક્રૂરતાની બધી હદ વટાવી દીધી છે. જિદ્દ છોડી દો અને તરત જ કૃષિ વિરોધી કાયદો પાછો ખેંચો.