મોદી સરકાર પર ચીનને જમીન સોંપી દેવાના રાહુલના આક્ષેપ પર કન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી અને મુખ્તાર અબ્બાસ નકવીએ પલટ વાર કર્યો છે.
રાહુલ પર ભાજપના નેતાઓનો પલટવાર
રાહુલે પરનાનાને પૂછવું જોઈએ કે...
કોઈ રાહુલની સારવાર કરાવો - નકવી
રાહુલ પર ભાજપના નેતાઓનો પલટવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પૂર્વ લદ્દાખની એલએસી પર ચીની સેનાની પીછે હટની સમજૂતિને લઈને મોદી સરકાર ટિપ્પણી કરતા કહ્યું હતું કે મોદીએ ભારતની જમીન ચીનને કેમ આપી, આપણા પીએમ કાયર છે. જેમણે ચીન સામે પોતાનું માથું ઝૂકાવી દીધુ. આ ટિપ્પણી પર ભાજપના નેતાઓએ પલટવાર કર્યો છે.
He must ask his grandfather (Jawaharlal Nehru) about who has given India's territory to China, he will get the answer.. Who is a patriot and who is not, the public knows it all: MoS Home G Kishan Reddy on Rahul Gandhi's recent remarks on PM and India-China disengagement pic.twitter.com/0z4gLHAnNb
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, તેમણે પોતાના પરનાના(પંડિત જવાહરલાલ નહેરુ)ને પૂછવું જોઈએ કે ચીનને ભારતનો હિસ્સો કોણે આપ્યો છે. તેમને જવાબ મળી જશે... કોણ દેશભક્ત છે અને કોણ નથી. જનતા આ બધું જ જાણે છે.’
કોઈ રાહુલની સારવાર કરાવો - નકવી
ત્યારે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે મંદબુદ્ધિ પપ્પૂજીના કમાલનો કોઈ રસ્સો નથી. ક્યાંકથી સોપારી લઈને દેશને બદનામ કરવાનું ષડયંત્ર અને સુરક્ષા દળોનું મનોબળ તોડવાના ષડયંત્રમાં લાગ્યા છે તેમની કોઈ સારવાર કરાવો.
પીએમએ આપવું જોઈતુ હતુ નિવેદન
રાહુલ ગાંધીએ ચીન સીમા મામલાને લઈને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું કે કાલે રક્ષા મંત્રી આવીને નાનું ભાષણ આપે છે. પ્રધાનમંત્રી મોદી આવીને કેમ ન કહ્યું. તેમણે રક્ષા મંત્રીને નિવેદન આપવા કેમ કહ્યું. પ્રધાનમંત્રીએ કહેવું જોઈએ કે મે ભારતની જમીન ચીનને આપી દીધી છે.
રાહુલે સરકારને પૂછ્યા આ સવાલ
રાહુલે કહ્યું કે જો રણનીતિક ક્ષેત્ર છે, જ્યાં ચીન અંદર આવીને બેઠું છે તેની વિશે રક્ષા મંત્રીએ એક શબ્દ પણ નથી બોલ્યા. મોદીએ ભારતીય ક્ષેત્રને ચીનને કેમ સોંપી દિધું? કેમ સેનાએ કૈલાશ રેન્જથી પીછે હઠ કરવા કહ્યું? ડેપસાંગ પ્લેન્સથી ચીન પાછું કેમ નથી આવ્યું? આનો જવાબ રક્ષા મંત્રી અને પ્રધાનમંત્રીએ આપવો જોઈએ.