કોંગ્રેસ નેતા અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર પ્રહાર કરતા મોટો આક્ષેપ કર્યો છે.
મનરેગા મુદ્દે રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર
કહ્યું પીએમ મોદીને મનરેગાની ઊંડાઈ વિશે કંઈ ખબર નથી
પીએમ મોદી મનરેગાને નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ ગણાવ્યું હતું
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડની મુલાકાતે છે. અહીં શનિવારે તેમણે મનરેગા કામદારો સાથે મુલાકાત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે યુપીએ સરકારે મનરેગાની કલ્પના, વિકાસ અને અમલ કર્યો છે. મને યાદ છે કે જ્યારે પહેલી વાર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારે આપણી સરકારે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે અમલદારો, વેપારીઓએ કહ્યું હતું કે આ તો માત્ર પૈસાનો બગાડ છે.
I was shocked in Lok Sabha when I heard the PM speak against MGNREGA. He called it a living monument of the failures of the UPA. He called it a drain on the exchequer. It made me realise that the PM actually had not understood the depth of MGNREGA: Rahul Gandhi in Wayanad, Kerala pic.twitter.com/X3QvZp5cp0
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે મેં સંસદમાં પીએમ મોદીને સાંભળ્યા તો હું ચોંકી ગયો. તેઓ મનરેગાને લઈને પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને યુપીએની નિષ્ફળતાઓનું જીવંત સ્મારક ગણાવ્યું હતું. તેમણે તેને સરકારી તિજોરી પર બોજ ગણાવ્યો હતો. આનાથી મને ખ્યાલ આવી ગયો કે વડા પ્રધાન ખરેખર મનરેગાની ઊંડાઈને સમજી શક્યા નથી.
મનરેગા ક્યારથી શરૂ કરવામાં આવી?
2006માં મનરેગાને સામાજિક સુરક્ષા કવચ કાર્યક્રમ તરીકે શરૂ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ગ્રામીણ ઘરોને 100 દિવસના કામની બાંયધરી આપે છે.
મોદી સરકારે પહેલા મનરેગાનો વિરોધ કર્યો પાછળથી યોજનાને મંજૂર રાખી
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ મનરેગા પર અનેક પ્રસંગોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. સંસદ સત્ર દરમિયાન લોકસભામાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે મનરેગા બજેટમાં કાપ મૂકવામાં આવ્યો છે જેના કારણે મજૂરોને તકલીફ પડી રહી છે. જો કે મોદી સરકારે તેમના આરોપોને તથ્યોથી પર ગણાવ્યા હતા. મોદી સરકારે એવો જવાબ આપ્યો હતો કે મનરેગા માટે 1 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અગાઉની યુપીએ સરકાર દરમિયાન ફાળવણી ઓછી હતી એટલું જ નહીં, "ભ્રષ્ટાચાર" પણ હતો.