અલવરની ઘટના પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. તેઓએ કહ્યુ કે આ પીએમ મોદીનું ક્રુર ઈન્ડિયા છે. જ્યાં માનવતાને ઘૃણાની સાથે બદલી દેવાયુ છે અને લોકોને કચળી દેવાયા છે. સાથે જ તેઓએ કહ્યુ કે અહીં લોકોને મરવા માટે છોડી દેવામાં આવ્યા છે. રાહૂલે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે નફરતે માનવતાની જગ્યા લઈ લીધી છે.
Policemen in #Alwar took 3 hrs to get a dying Rakbar Khan the victim of a lynch mob to a hospital just 6 KM away.
Why?
They took a tea-break enroute.
This is Modi’s brutal “New India” where humanity is replaced with hatred and people are crushed and left to die. https://t.co/sNdzX6eVSU
રાજસ્થાનના અલવરમાં કથિત ગૌ-રક્ષકોની હિંસા પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હમલો કરતા કહ્યુ કે મોદીના બ્રૂટલ ન્યૂ ઈન્ડિયામાં માનવતા ખતમ થઈ ગઈ છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યુ છે કે અલવરમાં પોલીસકર્મિઓએ ઘાયલ વ્યક્તિને 6 કિલોમીટર દૂર હોસ્પીટલ લઈ જવામાં 3 કલાક લગાવ્યા. પરંતુ કેમ? પોલીસકર્મીઓએ રસ્તામાં ચા પણ પીધી આ મોદીનું ક્રુર ન્યૂ ઈન્ડિયા છે જ્યાં નફરતે માનવતાની જગ્યા લઈ લીધી.
જ્યારે બીજી તરફ લોકસભા સાંસદ અસદુદ્ધિન ઓવેસીએ કહ્યુ કે રાજસ્થાન પોલીસની કાર્યવાહી મારા માટે આશ્ચર્યજનક નથી. તેઓએ આવો પહેલુ ખાનની હત્યા મામલે કર્યો હતો. રાજસ્થાન પોલીસ ગાયના નામે હિંસા કરનારાઓનો સાથ આપી રહી છે. ગૌ રક્ષક અને પોલીસ તેમાં સાથે છે.