કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ એક વાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે કે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધતા ખેડૂતોની પૂંજી હડપવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે પોતાના સૂટ બૂટ વાળા મિત્રોને 8, 75,000 કરોડનું દેવું માફ કરનારાની મોદી સરકાર અન્નદાતાઓની પૂંજી સાફ કરવામાં લાગી છે.
પીએમનું રિમોર્ટ કન્ટ્રોલ કેટલાક ઉદ્યોગપતિના હાથમાં - રાહુલ
કાયદાને પાછો ખેંચવા સુધી કોંગ્રેસ પીછે હટ નહીં કરે- રાહુલ
આ હેશટેગ અભિયાન પણ ચલાવ્યુ
આવું પહેલી વાર નથી થયું જ્યારે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો હોય. ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર હુમલો કરતા રહ્યા છે. ત્યારે રોજના ટ્વીટ કરી અથવા નિવેદન આપીને પોતાની વાત રાખતા રહ્યા છે. લગભગ એક મહિનાથી ખેડૂત કૃષિ કાયદાને રદ્દ કરાવવા માટે ધરણા પર બેઠા છે.
अपने सूट-बूट वाले दोस्तों का 875000 करोड़ क़र्ज़ माफ़ करने वाली मोदी सरकार अन्नदाताओं की पूंजी साफ़ करने में लगी है। pic.twitter.com/p6qL0bifQW
પીએમનું રિમોર્ટ કન્ટ્રોલ કેટલાક ઉદ્યોગપતિના હાથમાં - રાહુલ
આ પહેલા રાહુલ ગાંધી ત્યાં સુધી કહી ચૂક્યા છે કે તે પ્રધાનમંત્રી દેશના ખેડૂતોને ઈજ્જત નથી કરતા અને વારંવાર વાતચીત કરી ફક્ત ખેડૂતોને થકાવવા માંગે છે. રાહુલ ગાંધીએ આ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી ભલે દેશના પ્રધાનમંત્રી હોય પરંતુ તેમનું રિમોર્ટ કન્ટ્રોલ કેટલાક ઉદ્યોગપતિના હાથમાં છે.
કાયદાને પાછો ખેંચવા સુધી કોંગ્રેસ પીછે હટ નહીં કરે- રાહુલ
રાહુલ ગાંધી અને પ્રિયંકા કૃષિ કાયદાની વિરુદ્ધ ઉપ રાજ્યપાલના નિવાસની નજીક આયોજિત કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સામિલ થયા હતા. આ પ્રસંગ પર રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ ખેડૂતોની સાથે ઉભી છે. સરકારે આ 3 કાયદા પાછા લેવા પડશે. સરકાર જ્યાં સુધી કાયદા પાછા નથીં લેતી ત્યાં સુધી કોંગ્રેસ પીછે હટ નથી કરવાની.’
આ હેશટેગ અભિયાન પણ ચલાવ્યુ
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૃષિ કાયદાની વિરુદ્ધ કોંગ્રેસે શુક્રવારે ‘ખેડૂત અધિકાર દિવસ’મનાવ્યો હતો. આ અંતર્ગત પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓએ પ્રદેશના મુખ્યાલયો પર ધરણા પ્રદર્શન કર્યુ હતુ અને રાજ્યપાલો તથા ઉપ રાજ્યપાલોને આવેદન સોંપ્યું હતુ. મુખ્ય વિપક્ષી પાર્ટીના આંદોલન કારી ખેડૂતોને સમર્થનમાં ‘સ્પીકઅપ ફોર ખેડૂત અધિકાર’ હૈશટેગ સોશિયલ મીડિયા અભિયાન પણ ચલાવ્યુ હતુ.