રાહુલ ગાંધી લંડનમાં આઈડિયાઝ ફોર ઈન્ડિયા કોન્ફરન્સ ભાજપ-સંઘની વિચારધારા પર પણ આકરાં પ્રહાર કર્યા હતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા
ભાજપ અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે
BJP લોકોનો અવાજને દબાવે છે, જ્યારે અમે સાંભળીયે છીએ- રાહુલ ગાંધી
લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઈડિયાઝ ફોર ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પહેલાની જેમ ભારતને હાંસલ કરવા માંગે છે. તેના માટે લડાઈ કરી રહી છે. જ્યારે ભાજપ અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલે ચીનને લઈને પણ કેન્દ્ર સરકારને ઘેરી હતી
India is not in a good place. BJP has spread kerosene all over the country. You need one spark & we'll be in big trouble. I think that's also the responsibility of the opposition, the Congress - that bring people, communities, states, & religions together: Rahul Gandhi, in London pic.twitter.com/Ua4b4TaEQO
BJP લોકોનો અવાજને દબાવે છે, જ્યારે અમે સાંભળીયે છીએ- રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે તેમની પાર્ટી ભારતને ફરીથી મેળવવા માટે લડી રહી છે. તેમણે કહ્યું કે ભાજપ લોકોના અવાજને દબાવી દે છે, જ્યારે અમે લોકોનો અવાજ સાંભળવાનું કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારત એ સંસ્થાઓ પર હુમલાનું સાક્ષી છે જેણે દેશનું નિર્માણ કર્યું છે,આ સંમેલનમાં સીતારામ યેચુરી, સલમાન ખુર્શીદ, તેજસ્વી યાદવ, મહુઆ મોઇત્રા અને મનોજ ઝા સહિતના વિપક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Democracy in India is a global public good. We're the only people who have managed democracy at our unparalleled scale.
રાહુલે કહ્યું કે ભાજપ સરકારમાં રોજગારી ઘટી છે. આ હોવા છતાં, તે ધ્રુવીકરણને કારણે સત્તામાં રહે છે. ભારત આજે સારી સ્થિતિમાં નથી. ભાજપે ચારે તરફ કેરોસીન છાંટ્યું છે. તેમણે કહ્યું કે અમે કહી રહ્યા છીએ - અમારી પાસે એક ભારત છે જ્યાં અલગ અલગ વિચારો વ્યક્ત કરી શકાય છે અને અમે વાત કરી શકીએ છીએ.
ભાજપ જનતાનો અવાજ દબાવી રહી છે
જ્યારે રાહુલને લોકશાહી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હવે દરેક સંસ્થા પર સરકારનો કબજો થઈ ગયો છે. દરેક સંસ્થા પર હુમલા થઈ રહ્યા છે. રાહુલે કહ્યું કે લોકો કહે છે કે અમારી પાસે BJP જેવો કેડેટ છે. ત્યારે અમે કહીએ છીએ કે અમારી પાસે BJP જેવો કેડેટ હશે તો અમે BJP થઈશું. જ્યારે ભાજપ તેનો અવાજ દબાવી રહી છે. અમે દરેકનો અવાજ સાંભળીએ છીએ. અમે લોકોને સાંભળવા માટે છીએ.
ભારતમાં ધ્રુવીકરણ ચાલી રહ્યું છે
ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓને લઈને અમેરિકાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું- અમારે એ કહેવાની જરૂર નથી કે ભારતમાં ધ્રુવીકરણ થઈ રહ્યું છે. અમે ધ્રુવીકરણ સામે લડી રહ્યા છીએ. કોંગ્રેસ સહિત વિપક્ષો પણ આ જ લડાઈ લડી રહ્યા છે.
રાહુલે સ્વીકાર્યું- કોંગ્રેસ આંતરિક વિખવાદથી ઝઝૂમી રહી છે
રાહુલે કહ્યું કે કોંગ્રેસ ભારતને ફરીથી મેળવવા માટે લડી રહી છે. તે હવે એક વૈચારિક લડાઈ છે-એક રાષ્ટ્રીય વૈચારિક લડાઈ. તેમણે કહ્યું કે ભાજપ અને સંઘ ભારતને ભૂગોળ તરીકે જુએ છે, પરંતુ કોંગ્રેસ માટે ભારત લોકોથી બનેલું છે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે કોંગ્રેસ આંતરિક ઝઘડા, બળવો, પક્ષપલટા અને ચૂંટણીમાં હાર સાથે ઝઝૂમી રહી છે.