કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે દેશમાં કોરોના વાયરસના ચેપના કેસમાં સતત વધારાને લઈને સરકાર પર આડકતરી નિશાન સાધતા કહ્યું હતું કે ભારતમાં લોકડાઉનમાંએ સાબિત થઈ ગયું છે કે અજ્ઞાનતા કરતા અહંકાર વધુ જોખમી હોય છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
અજ્ઞાનતા કરતાં વધુ ખતરનાક એકમાત્ર વસ્તુ અહંકાર છે
આ લોકડાઉન એ સાબિત કરે છે કે ...
તેમણે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઇનના નિવેદનનો ઉલ્લેખ કરતાં ટ્વિટ કર્યું છે, 'આ લોકડાઉન એ સાબિત કરે છે કે અજ્ઞાનતા કરતાં વધુ ખતરનાક એકમાત્ર વસ્તુ અહંકાર છે.' કોંગ્રેસ નેતાએ લોકડાઉનના ચારેય તબક્કામાં કોરોના વાયરસના કેસમાં વધારા સંબંધિત ગ્રાફ પણ શેર કર્યો હતો.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના ચેપના 11,000 થી વધુ કેસ નોંધાયા છે અને સોમવારે ચેપનો આંક વધીને 3,32,424 થયો છે. ચેપના કારણે 325ના મોત સાથે મૃત્યુઆંક 9,520 પર પહોંચી ગયો છે.
નોંધપાત્ર છે કે અમેરિકા, બ્રાઝિલ અને રશિયા પછી કોરોના વાયરસ ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત ચોથા સ્થાને આવી ગયું છે.