કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે પાર્ટી મુખ્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાત કરતાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
અર્ણબ ગોસ્વામીની વાયરલ ચેટને લઈને કર્યો સવાલ
કહ્યું- અર્ણબને ખબર હતી તો પાકિસ્તાન પણ જાણતું જ હશે બાલાકોટ વિશે
ખેડૂત આંદોલનથી લઈને ચીન અને અર્ણબ ગોસ્વામીની કથિત વોટ્સએપ ચેટ લીક સુધીની સરકારને કઠેડામાં ઉભી કરી દીધી હતી. ગાંધીએ કહ્યું હતું કે, જો અર્ણબ ગોસ્વામીને બાલાકોટ હવાઈ હુમલાની જાણ હોત, તો તેનો અર્થ એ કે પાકિસ્તાન પણ જાણતું જ હશે.
સમગ્ર મામલાની તપાસની કરી માગણી
અમને જણાવી દઈએ કે અંગ્રેજી ન્યુઝ ચેનલ 'રિપબ્લિક ટીવી' ના સ્થાપક અર્ણબ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક) ના પૂર્વ એક્ઝિક્યુટિવ પાર્થ દાસગુપ્તાની કથિત વોટ્સએપ ચેટ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કથિત વ્હોટ્સએપ ચેટમાં બાલાકોટ હવાઈ હુમલો અંગે અર્ણબ ગોસ્વામી અને બીએઆરસીના ભૂતપૂર્વ સીઇઓ પાર્થ દાસગુપ્તાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે ગુનાહિત કૃત્ય છે. તેમણે કહ્યું કે, આ સમગ્ર મામલાની તપાસ થવી જોઇએ અને તેમાં જે પણ આરોપી છે તેની સામે કાર્યવાહી થવી જોઇએ.
...તો પાકિસ્તાનને પણ ખબર હશે જ
પત્રકારોને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે બાલાકોટ હુમલા અંગે માત્ર પાંચ લોકો જ વાકેફ હોઈ શકે છે. વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન, ગૃહ પ્રધાન, એરફોર્સ ચીફ અથવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. તેમણે કહ્યું કે આ પાંચ લોકોમાંથી માત્ર એક જ અર્ણબ ગોસ્વામીને બાલાકોટ હુમલાની જાણકારી આપી શકે છે અને બાલાકોટ હુમલા સામે કાર્યવાહી થવી જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો અર્ણબ ગોસ્વામીને બાલાકોટ હવાઈ હુમલો વિશે જાણ હોત, તો મને લાગે છે કે પાકિસ્તાન પણ તેનાથી વાકેફ હશે.
ખેડૂતો દેશની સામાન્ય જનતાની લડાઈ લડી રહ્યા છે-રાહુલ
રાહુલ ગાંધીએ સરકાર પર હુમલો કરતાં કહ્યું કે સરકારે ત્રણેય કૃષિકાયદાઓ પરત લેવા જ પડશે કારણ કે નવા કૃષિકાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટોણો મારતા કહ્યું કે ખેડૂતો PM મોદી કરતા વધારે સમજદાર છે અને સરકાર ભ્રમમાં ન રહે કે ખેડૂતો થાકી જશે.
રાહુલ ગાંધીએ ફરીવાર કહ્યું કે દેશને માત્ર 3-4 ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યા છે તથા કૃષિ કાયદાથી દેશની ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે. ખેડૂતો દેશની સામાન્ય જનતાની લડાઈ લડી રહ્યા છે. ખેડૂતોની સમસ્યાઓને આખો દેશ જોઈ રહ્યો છે પણ સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે.
સરકાર ભ્રમમાં ન રહે કે ખેડૂતો થાકી જશે-રાહુલ
રાહુલ ગાંધીએ આજે પ્રેસ કૉંફરેન્સ કરીને કહ્યું કે ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી નાંખશે અને હું તેનો વિરોધ કરતો જ રહીશ. હું જેપી નડ્ડાના સવાલોના જવાબ નહીં આપું, માત્ર ખેડૂતો અને દેશના સવાલોના જવાબ આપીશ.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી એક એક ચરણમાં ખેડૂતોને ખતમ કરવાના કામમાં લાગેલા છે. આ લોકો માત્ર ત્રણ કાયદા સુધી નહીં રોકાય પણ અંતમાં ખેડૂતોને ખતમ કરવા માંગે છે જેથી દેશમાં ખેતી માત્રને માત્ર ત્રણ ચાર મિત્રોના હાથમાં જ રહી જાય.
સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે-રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે આખો દેશ ભલે વિરોધમાં જતો રહે પણ સત્ય માટે હંમેશા લડતો રહીશ. હું નરેન્દ્ર મોદી અને ભાજપથી ડરતો નથી. અને આ લોકો મને હાથ નહીં લગાવી શકતા પણ ગોળી મરાવી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો ખેડૂતોને થાકાવી દેવા માંગે છે પણ તે લોકો યાદ રાખે કે ખેડૂતો થાકવાના નથી