દેશભરમાં ખેડૂત બિલને લઇને ઘમાસાણ મચ્યું છે. ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સંસદના બંન્ને ગૃહોમાં પણ વિપક્ષ હોબાળો મચાવી રહ્યા છે ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે કોંગ્રેસના પીઢ નેતા રાહુલ ગાંધીએ શાયરાના અંદાજમાં મોદી સરકાર આકરા પ્રહાર કર્યા હતા.
ખેડૂત બિલને લઇને ઘમાસાણ
રાહુલ ગાંધીએ ફરી મોદી સરકાર પર કર્યા પ્રહાર
તેમણે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર અત્યાર સુધી સ્વામીનાથન કમીશન વાળા ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપવાના વાયદાને પૂર્ણ કર શકી નથી સાથે જ 2020માં તેમણે ખેડૂતો વિરૂદ્ધ કાળો કાયદો પાસ કરી દીધો છે.
શું કહ્યું રાહલે ટ્વીટમાં?
નોંધનીય છે કે, રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસથી ખેતી બિલ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેમણે તાજેતરમાં કરેશ ટ્વીટમાં કહ્યું હતું કે, 2014 મોદીજીનો ચૂંટણી વાયદો ખેડૂતોને સ્વામીનાથન કમિશન વાળું MSP|2015- મોદી સરકારે કોર્ટમાં કહ્યું હતું કે તે થઇ શક્યુંનથી. 2020-કાળો કિસાન કાયદો(ખેતી બિલ). રાહુલે વધુમાં કહ્યું કે, મોદીજીની દાનત સ્પષ્ટ, ખેતી વિરોધી નવો પ્રયાસ, ખેડૂતોને મૂળથી કરશે સાફ, રૂપિયાવાળા મિત્રોનો ખૂબ વિકાસ.
પહેલા પણ કરી ચૂક્યા છે પ્રહાર
રાહુલ ગાંધીએ કૃષિ બિલને લઇ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કૃષિ બિલને કાળો કાયદો ગણાવતા સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારના કૃષિ વિરોધી 'કાળા કાયદા'થી ખેડૂતોને APMC ખતમ થવા પર MSP કેવી રીતે મળશે?. MSPની ગેરન્ટી કેમ નહીં?. મોદીજી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યાં છે જેને દેશ ક્યારેય સફળ નહીં થવા દે.
2014- मोदी जी का चुनावी वादा किसानों को स्वामीनाथन कमिशन वाला MSP
2015- मोदी सरकार ने कोर्ट में कहा कि उनसे ये न हो पाएगा
2020- काले किसान क़ानून
मोदी जी की नीयत ‘साफ़’
कृषि-विरोधी नया प्रयास
किसानों को करके जड़ से साफ़
पूँजीपति ‘मित्रों’ का ख़ूब विकास।
કૃષિ વિધેયક મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ખેડૂતોનો મોદી સરકાર પરથી વિશ્વાસ ઉઠ્યો હોવાના રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. પ્રધાનમંત્રી મોદી પર સવાલ ઉભા કરતા કહ્યું કે મોદીની કરણી અને કથનીમાં પહેલાથી ફેર હોવાના પ્રહાર કર્યા છે. આ ઉપરાંત નોટબંધી, ખોટુ GST, ડીઝલ પર ભારે ટેક્સ, કૃષિ વિધેયક મુદ્દે જાગૃત ખેડૂત જાણે છે તેવા રાહુલે આક્ષેપ નાંખ્યા છે. મોદી સરકાર પોતાના મિત્રોના વેપાર વધારવામાં વ્યસ્ત હોવાના પ્રહાર કર્યા છે.
કોરોના વોરિયર્સ મુદ્દે પણ સરકાર પર કર્યા હતા પ્રહાર
રાહુલ ગાંધીએ કોરોના વોરિયર્સ મુદ્દે સરકારને ઘેરી છે. કોરોના વોરિયર્સના મૃત્યુના ડેટા અંગે નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, મોદી સરકાર પોતાના વિરોધી આંકડા છુપાવી રહી છે. થાળી-તાળી કરતા સન્માન અને સુરક્ષા જરૂરી છે. મોદી સરકાર કોરોના વોરિયર્સનું અપમાન કરી રહી છે. આપને જણાવી દઈએ કે, સરકારે કોરોના વોરિયર્સના મૃત્યુના આંકડા ન હોવાનું જણાવ્યું હતું જ્યારે IMAએ શહીદ કોરોના વોરિયર્સની યાદી જારી કરી હતી.