PM મોદી પર રાહુલ ગાંધી સતત પ્રહાર કરી રહ્યા છે, ગઇકાલે તેમણે PMCares અને PM મોદી બંને જુઠ્ઠા છે તેવી ટ્વિટ કરી હતી અને આજે તમને PM મોદીની સિસ્ટમ પર સવાલ કર્યા છે
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું છે કે "મોદી સિસ્ટમ" ફેઇલ
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું છે કે "મોદી સિસ્ટમ" ફેઇલ
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું છે કે "મોદી સિસ્ટમ" માં જેટલી સરળતાથી સવાલ કરવાવાળાની ધરપકડ થાય છે, જો એટલી સરળતાથી વેક્સિન મળી જાય તો દેશની આ દર્દભરી સ્થિતિ ના થઈ હોત. કોરોનાને રોકો, લોકોના સવાલોને નહીં. જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા દિલ્હીમાં પ્રધાનમંત્રીની ટીકા કરતાં પોસ્ટર જેમણે લગાવ્યા, તે લોકોની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડના વિરોધમાં પણ રાહુલ ગાંધી સહિત ઘણા બધા કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ પોતાનું ટ્વિટર પ્રોફાઇલ બદલીને તે પોસ્ટર મૂક્યું હતું. તે પોસ્ટરમાં લખ્યું હતું કે "મોદીજી તમે અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી?
मोदी ‘सिस्टम’ में जितनी आसानी से सवाल उठाने वालों की गिरफ़्तारी होती है, उतनी आसानी से वैक्सीन मिलती तो देश आज इस दर्दनाक स्थिति में ना होता।
PMCares અને PM મોદી બંને જુઠ્ઠા છે
દેશમાં ચાલી રહેલ કોરોનાની બીજી લહેરમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષ સતત કેન્દ્ર સરકાર અને PM મોદી પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરી ફરી એકવાર PM મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે PMCares અને PM મોદી બંને જુઠ્ઠા છે અને બંને કામ કરવામાં ફેઇલ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે PMCares ના વેન્ટિલેટર્સ અને PMમાં ઘણી સમાનતા છે. બંનેનો હદથી વધુ ખોટો પ્રચાર, બંને કામ નથી કરી રહ્યા અને બંનેને શોધવા મુશ્કેલ છે.
PMCares के वेंटिलेटर और स्वयं PM में कई समानताएँ हैं-
- दोनों का हद से ज़्यादा झूठा प्रचार
- दोनों ही अपना काम करने में फ़ेल
- ज़रूरत के समय, दोनों को ढूँढना मुश्किल।
મારને વાલે સે બડા હોતા હૈ બચાને વાલા - 14 મે એ રાહુલે લખ્યું
કોંગ્રસ નેતા શ્રી નિવાસની દિલ્હી પોલીસે પૂછતાછ વિરુધ્ધ પણ કોંગ્રેસ નેતા રાહુલે ગાંધીએ એક ટ્વિટ કરી હતી. આ સાથે જ કોંગ્રેસે શ્રીનિવાસના સમર્થનમાં #IstnadWithIYC કેમ્પઈન પણ શરૂ કર્યું છે. કોરોના દર્દીઓની મદદ કરીને ચર્ચામાં આવેલા કોંગ્રેસ નેતા શ્રી નિવાસની શુક્રવારે દિલ્હી પોલીસે પૂછપરછ કરી હતી. આ પૂછતાછ લગભગ 20 મિનિટ સુધી ચાલી. જણાવવામાં આવી રહ્યું છે કે આ પૂછતાછ દિલ્હી પોલીસની ક્રાઇમબ્રાન્ચે દિલ્હી હાઇકોર્ટના આદેશ પર કરી હતી.
बचाने वाला हमेशा मारने वाले से बड़ा होता है।#IStandWithIYC