કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. ADC બેંક દ્વારા કરવામાં આવેલ માનહાની કેસમાં રાહુલ ગાંધી સામે કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાની સામે પણ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે.
દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. ADC બેંક દ્વારા કરવામાં આવેલ માનહાની કેસમાં રાહુલ ગાંધી સામે કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાની સામે પણ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે.
Gujarat: Ahmedabad Metro court issues notice to Congress president Rahul Gandhi and Spokesperson Randeep Surjewala to remain present in the court on 27 May for defamation case filed by Ahmedabad District Cooperative (ADC) Bank
મેટ્રોકોર્ટના મેજિસ્ટ્રેટ એસ.કે ગઢવીએ બદનક્ષી થતી હોવાનું માન્યું અને કોર્ટનું તારણ છે કે, બંને સામે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો જણાઈ રહ્યો છે ત્યારે આગામી 27 મેના મેટ્રોકોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.
શું છે ADC માનહાનિ કેસ
નોટબંધી વખતે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક (એડીસી બેંક) દ્વારા પાંચ જ દિવસમાં 745 કરોડની નોટ બદલવા મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યા હતા અને રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ત્યારબાદ એડીસી બેંકના ચેરમેન અજય પટેલે એડીસી બેંક અને બેંકના હોદ્દેદારોની બદનક્ષી થઇ હોવાનો આરોપ મુકી અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી.