રાહુલ ગાંધીએ કહ્યું કે લૉકડાઉનને આપણે ધીમે ધીમે સમજદારીથી ઊઠાવવું જોઇએ. કારણ કે આ આપણી દરેક સમસ્યાનું સમાધાન નથી. આપણે વૃદ્ધો, બાળકો તમામનું ધ્યાન રાખતા ધીમે ધીમે લૉકડાઉન ઊઠાવવા માટે વિચારવું પડશે. જેનાથી કોઇને કોઇ પ્રકારનું નુકસાન થાય નહીં.
ગામડામાં મનરેગા અને શહેરમાં Nyayથી મળશે સુરક્ષા
મજૂરો માટે થોડાક સમય માટે સરકાર લાગૂ કરે Nyay
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન એમને કેન્દ્ર સરકારના પ્રયત્નો અને લૉકડાઉનના કારણે દેશમાં સર્જાયેલી પરિસ્થિતિને લઇને ચર્ચા કરી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ 20 લાખ કરોડ રૂપિયાની વિશેષ આર્થિક પેકેજની જાહેરાતને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે બાળક રડે છે તો માં એને લોન નથી આપતી, ટ્રીટ આપે છે, રસ્તા પર ચાલતા પ્રવાસી મજૂરોને લોન નહીં પૈસાની જરૂર છે. એટલા માટે સરકારને સાહૂકારની જેમ કામ કરવું જોઇએ નહીં.
આ વાતચીત દરમિયાન એક મીડિયાકર્મીએ રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો કે જો તમે પ્રધાનમંત્રી હોત તો શું કરતા. આ પ્રશ્નના જવાબમાં રાહુલે હસીને કહ્યું કે હું પ્રધાનમંત્રી નથી. એટલા માટે એક કાલ્પિનિક સ્થિતિને લઇને હું વાત કરી શકું નહીં, પરંતુ એક વિપક્ષ નેતા તરીકે હું કહીશ કે કોઇ પણ વ્યક્તિ ઘર છોડીને બીજા રાજ્યોમાં કામની શોધમાં જાય છે એટલા માટે સરકારે રોજગારના મુદ્દા પર એક રાષ્ટ્રીય રણનીતિ બનાવવી જોઇએ.
રાહુલે કહ્યું કે મારા હિસાબે સરકારે ત્રમ ટર્મ-શૉટ, મિડ અને લૉન્ગમાં કામ કરવું જોઇએ. શોર્ટ ટમમાં ડિમાન્ડ વધારો, એ હેઠળ તમે હિંદુસ્તાનના નાના અને મીડિયમ વેપાકીઓને બચાવો. એમને રોજગાર આપો. આર્થિક મદદ કરો. સ્વાસ્થ્યના હિસાબથી તમે એ લોકોનું ધ્યાન રાખો જેમને સૌથી વધારે ખતરો છે.
મનરેગાને લઇને રાહુલ ગાંધીએ સૂચન આપતા કહ્યું, 'દસ વર્ષ પહેલાનું ભારત અને આજનું હિંદુસ્તાન બંને અલગ અલગ છે. આજે ઘણા બધા મજૂરો શહેરમાં રહે છે. એટલા માટે મારો વિચાર છે કે ગામડામાં એમની સુરક્ષા માટે મનરેગા અને શહેરમાં Nyay યોજનાનો કેટલાક સમય માટે લાગૂ કરીને જોઇ શકે છે.'
આ પહેલા રાહુલ ગાંધીએ સરકારની મદદને ઓછી જણાવતા કહ્યું કે એમની મદદ દેવાનું પેકેટ હોવું જોઇએ નહીં. ખેડૂત, પ્રવાસી મજૂરોના ખિસ્સામાં સીધા પૈસા જવા જોઇએ.
રાહુલ ગાંધીએ સરકારના નિર્ણયને લઇને કહ્યું, 'જાણવા મળી રહ્યું છે કે રાજકોષીય ઘાટા વધવાના કારણે એજન્સીઓની નજરમાં ભારતનું રેટિંગ ઓછી થઇ જશે. મારું માનવું છે કે હાલ ભારત માટે વિચારો, રેટિંગ માટે નહીં. ભારતના દરેક લોકો ઠીક રહેશે તો એક વખત ફરીથી મળીને કામ કરીશું અને રેટિંગ પોતાની જાતે ઠીક થઇ જશે. '