કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મની લોન્ડરિંગ કેસના સંબંધમાં નેશનલ હેરાલ્ડ કેસના સંદર્ભમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી ઈડી સમક્ષ હાજર
રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પર જોડાયા
કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓએ મોર્ચો સંભાળ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મની લોન્ડરિંગ કેસના સંબંધમાં નેશનલ હેરાલ્ડ કેસના સંદર્ભમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા છે. કોંગ્રેસે સત્તાધારી ભાજપ પર દુશ્મનાવટની રાજનીતિ રમવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પાછી પાની નહીં કરે. EDના 'દુરુપયોગ' સામે 'સત્યાગ્રહ' કરશે. જોકે, દિલ્હી પોલીસે તેમને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
રાહુલ ગાંધીને પૂછાઈ રહ્યા છે આ પ્રશ્નો
AJLમાં આપની શું પોઝિશન છે ?
આપના નામે શેર શા માટે છે ?
શું આપે શેર હોલ્ડર્સ સાથે પહેલા ક્યારેય મીટિંગ કરી, જો નહીં તો શા માટે ?
કોંગ્રેસે યંગ ઈંન્ડિયાને શા માટે લોન આપી ?
કોંગ્રેસ નેશનલ હેરાલ્ડને પુનર્જીવિત શા માટે કરવા માગતી હતી ?
શું આપ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી લોન વિશે જાણકારી આપી શકો છો ?
શું આપ AJL અને નેશનલ હેરાલ્ડની સંપત્તિઓ વિશે જાણકારી આપી શકો છો ?
કાર્યકર્તાઓ અને નેતાઓનું વિરોધ પ્રદર્શન
જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સમન કરવાના EDના નિર્ણય અને કોંગ્રેસની તાકાત બતાવવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે પી. ચિદમ્બરમે કહ્યું, 'હું કોંગ્રેસના સભ્ય અને વકીલ તરીકે બોલું છું. PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ રાહુલ ગાંધીને EDના સમન્સ પાયાવિહોણા છે. કોંગ્રેસના સભ્ય તરીકે હું પાર્ટીના નેતા રાહુલ ગાંધી સાથે એકતા વ્યક્ત કરીશ અને ED ઓફિસ સુધીની કૂચમાં જોડાઈશ.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કાયર મોદી સરકારે કેન્દ્રીય દિલ્હીને છાવણીમાં ફેરવી નાખી છે. સેંકડો પોલીસ બેરીયર અને હજારો પોલીસ જવાનો તૈનાત કરીને શું સાબિત કરવા માગે છે. હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ શા માટે ? સત્યનું આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રણદીપ સિંહ સૂરજેવાલા, રજની પટેલ, અખિલેશ પ્રસાદ સિંહ, એલ હનુમંતૈયા અને થિરુનાવુક્કારાસર સુને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે.
(11.35 AM)
કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત
ઈડીની ઓફિસ પાસે જે કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા હતા, તેને ઉઠાવી લેવામાં આવ્યા છે. તેમાંથી અમુક કાર્યકર્તાઓને અટકાયત પણ કરવામાં આવી છે.
Delhi | Congress workers protesting in the Central Delhi area detained by police pic.twitter.com/rBa6dWkkvq
નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેંટ ડિરોક્ટોરેટની સમક્ષ હાજર થતાં પહેલા રાહુલ ગાંધી પાર્ટી નેતા પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ મુખ્યાલયે પહોંચ્યા હતા.
Delhi | Rahul Gandhi accompanied by party leader Priyanka Gandhi Vadra arrives at Congress headquarters, ahead of his appearance before Enforcement Directorate in the National Herald case pic.twitter.com/zgL68jSupY
રણદીપ સુરજેવાલાએ કહ્યું- મોદી સરકાર કોંગ્રેસીઓના ડરથી ડરી ગઈ છે
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે ED ઓફિસ સુધી શાંતિપૂર્ણ વિરોધ માર્ચ કાઢીશું. અમે બંધારણના રક્ષક છીએ, અમે ઝૂકીશું નહીં, કે ડરીશું નહીં. ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને એ સાબિત કરી દીધું છે કે મોદી સરકાર કોંગ્રેસીઓથી ડરી ગઈ છે.
We'll hold a peaceful protest march to the ED office under the leadership of Rahul Gandhi. We're the protectors of the Constitution, we will not bow down or be scared. By deploying a large police force, it has been proven that Modi govt is shaken by Cong: RS Surjewala at party HQ pic.twitter.com/xukzhl0YXO
અશોક ગેહલોત- દેશમાં જે થઈ રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ
કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, આજે દેશમાં જે થઈ રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. PMએ દેશને મેસેજ આપવો જોઈએ કે, હિંસા સહન કરવામાં આવશે નહીં. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ED સમક્ષ હાજર થાય તે પહેલા રાહુલ ગાંધી સાથે તેમની એકતા વ્યક્ત કરવા માટે પાર્ટી હેડક્વાર્ટર ખાતે એકઠા થયા હતા.
Delhi | We're protesting against what's happening in the country today. PM should give a message to the nation that violence won't be tolerated: Ashok Gehlot, Cong
Congress leaders gather at party HQ to express solidarity with top leadership as Rahul Gandhi to appear before ED pic.twitter.com/DpAWzv4M9S
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર નેશનલ હેરાલ્ડ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. 2012થી આ કેસ ચાલી રહ્યો છે. કેસ અંતર્ગત આરોપ છે કે, કોંગ્રેસ નેતાઓએ યંગ ઈંડિયન લિમિટેડ કંપની દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવનારી એસોસિએટેડ જર્નલ્સ (AJL)નું અધિગ્રહણ, ગોલમાલની સાથે પુરુ કર્યું અને લગભગ 5 હજાર કરોડની સંપત્તિ બનાવી લીધી.
2012માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક જાહેરહીતની અરજી કરી હતી. તેમણે કોંગ્રેસ નેતાઓ પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો. નવેમ્બર 2012માં સુબ્રમણ્યમ સ્વામીએ જે આરોપ લગાવ્યો હતો, તેમાં એવું પણ સામેલ હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ફ્રોડ કરીને એજેએલને પોતાનું બનાવી લીધું હતું. સાથે જ નેશનલ હેરાલ્ડ. કૌમી આવાજના પબ્લિકેશન રાઈટ્સ પણ લઈ લીધા હતા. તેના માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ મેળવી લીધી હતી. જ્યારે આ પ્રોપર્ટી સરકાર દ્વારા ફક્ત અખબરોની પબ્લિશિંગના ઉદ્દેશ્યથી આપવામાં આવી હતી. પણ કોંગ્રેસ નેતાઓએ તેનો ઉપયોગ કરીને લાખો રૂપિયાના ભાડાની આવાક સાથે પાસપોર્ટ કાર્યાલય ચલાવવા માટે કર્યો.