'ચોકીદાર ચોર હૈ' મામલામાં સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે.
ન્યૂ દિલ્હીઃ 'ચોકીદાર ચોર હૈ' મામલામાં સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે. સીજેઆઈએ રાહુલને પૂછ્યું કે, સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે, 'ચોકીદાર ચોર હૈ'. ચીફ જસ્ટિસે કહ્યું કે, કોર્ટનાં હવાલાથી આપ કેવી રીતે કોઇનાં પર આરોપ લગાવી શકો છો. સીજેઆઈએ કોર્ટની અવમાણના કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ રાફેલ ડીલનાં લીક દસ્તાવેજોને પુરાવા માનીને આ મામલાની બીજી વાર સુનાવણી માટે રાજી થઇ ગઇ હતી. આનાં પર રાહુલે કહ્યું હતું કે, કોર્ટે માની લીધું છે કે 'ચોકીદાર ચોર હૈ.' ત્યાર બાદ ભાજપ નેતા મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ વિરૂદ્ધ અવમાણનાનો કેસ દાખલ કરી દીધો હતો. આની પર કોર્ટે રાહુલને વગર નોટિસ રજૂ કરે જવાબ માંગ્યો. રાહુલે સોમવારનાં માન્યું હતું કે, કોર્ટે આવું કંઇ જ નથી કહ્યું અને ગરમ ચૂંટણી માહોલમાં જોશમાં તેઓનાં મોંમાંથી એ વાત નીકળી ગઇ. તેઓએ પોતાની ટિપ્પણી પર ખેદ વ્યક્ત કર્યો હતો.
રાહુલ વિરૂદ્ધ દાખલ કરેલ અરજી રદ નહીં:
આ સાથે જ કોર્ટે રાહુલ તરફથી રજૂ કરવામાં આવેલ વકીલ અભિષેક મનુ સિંઘવીની તે અપીલને ખારીજ કરી દીધી, જેમાં તેઓએ રાહુલ વિરૂદ્ધ દાખલ કરેલ અરજીને રદ કરવાની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે, 'અમને લાગે છે કે અરજી પર રાહુલને નોટિસ રજૂ કરી શકાય છે. તેઓએ રજિસ્ટ્રારને સુનાવણી મંગળવારનાં રોજ રાખવાનો નિર્દેશ કર્યો.
સુપ્રીમ કોર્ટમાં લગાવી હતી પુનર્વિચાર પર અરજીઃ
સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર 2018નાં નિર્ણયમાં રાફેલ ડીલને નક્કી કરેલ પ્રક્રિયા અંતર્ગત નક્કી હોવાનું જણાવ્યું હતું. કોર્ટે તે સમયે ડીલને ચેલેન્જ આપનારી તમામ અરજીઓ ખારીજ કરી દીધી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, અરૂણ શૌરી અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ડીલનાં દસ્તાવેજોનાં આધાર પર આ નિર્ણય વિરૂદ્ધ પુનર્વિચાર અરજીઓ દાખલ કરી હતી.
જેમાં કેટલીક ગોપનીય દસ્તાવેજોની ફોટો કોપી લગાવી હતી. આની પર અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કેન્દ્ર તરફથી આપત્તિ દાખલ કરાવી હતી. તેઓએ કહ્યું હતું કે, ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 123 અંતર્ગત વિશેષાધિકારવાળાં ગોપનીય દસ્તાવેજોની કોપીને પુનર્વિચાર અરજીનો આધાર ન હોતો બનાવી શકાતો. સુપ્રીમ કોર્ટે તેઓની આ દલીલ ખારીજ કરી દીધી હતી.