ઉત્તર પ્રદેશના હાથરમાં થયેલ દુષ્કર્મની ઘટના પર રાજકારણ ગરમાયું છે. મોડી રાત્રે પોલીસ દ્વારા પરિવારજનોની મંજૂરી લીધા વિના દૂષ્કર્મ યુવતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાં છે. ત્યારે હાલમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યાં છે. કોંગ્રેસ નેતાઓ સવાલ ઉઠાવતાં કહ્યું કે શું પરિવારનો અંતિમ સંસ્કારનો કરવાનો હક પણ છીનવી લેવામાં આવ્યો.
યુપીના હાથરસમાં દુષ્કર્મની ઘટના પર ગરમાયું રાજકારણ
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા યોગી સરકાર પર સવાલ
પરિવારનો અંતિમ સંસ્કારનો હક પણ છીનવાયો: રાહુલ
ઉત્તર પ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસમાં પરિવારજનોની મંજૂરી વિના પોલીસે મોડી રાત્રે જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા. જો કે પોલીસ અને તંત્ર પર ગ્રામજનોમા તેને લઇને રોષ જોવા મળ્યો છે. ત્યારે આ મુદ્દાને લઇને રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યુપીની યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યાં છે.
भारत की एक बेटी का रेप-क़त्ल किया जाता है, तथ्य दबाए जाते हैं और अन्त में उसके परिवार से अंतिम संस्कार का हक़ भी छीन लिया जाता है।
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાથરસમાં દુષ્કર્મની ઘટના બાદ પરિવારજનોની મંજૂરી વગર પોલીસ દ્વારા અંતિમ સંસ્કાર કરી દેવામાં આવતા કહ્યું કે ભારતની એક દીકરીનું દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી. આ હકીકતો દબાવવામાં આવે છે અને અંતમાં તેમના પરિવારનો અંતિમ સંસ્કારનો પણ હક છીનવાઇ ગયો. આ અપમાનજનક અને અન્યાયપૂર્ણ છે.
रात को 2.30 बजे परिजन गिड़गिड़ाते रहे लेकिन हाथरस की पीड़िता के शरीर को उप्र प्रशासन ने जबरन जला दिया।
जब वह जीवित थी तब सरकार ने उसे सुरक्षा नहीं दी। जब उस पर हमला हुआ सरकार ने समय पर इलाज नहीं दिया।
पीड़िता की मृत्यु के बाद सरकार ने परिजनों से बेटी के अंतिम संस्कार का..1/2
હાથરસમાં દુષ્કર્મની ઘટના તેમજ અંતિમ સંસ્કાર પર પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાત્રે 2.30 વાગ્યે પીડિતાના જબરજસ્તી અંતિમ સંસ્કાર કરી દેવાયા. પરિવારજન પ્રાર્થના કરતા રહ્યાં તો પણ મૃતદેહ ન સોંપ્યો.
જ્યારે પીડિતા જીવતી હતી ત્યારે સરકારે તેને સુરક્ષા ન આપી અને હુમલો થયો ત્યારે સમયસર સારવાર પણ ન આપી. સરકારે ગુનો રોક્યો નહીં અને પરિવારજનો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કર્યો. રાજય સરકારે અત્યાચાર ન રોક્યો અને બાળકીના પરિવાર સાથે અત્યાચાર કર્યો.