મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદી પ્રચાર કરશે. જલગાંવ અને સકોલીમાં ચૂંટણીસભાને પીએમ મોદી સંબોધિત કરશે. તો અન્ય તરફ રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં રેલીઓને સંબોધિત કરશે. રેલીમાં બંને નેતાઓ એકમેક પર કટાક્ષ કરતાં જોવા મળશે.
હરિયાણાની ચૂંટણીને લઈને પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે બીજેપી
મહારાષ્ટ્રમાં આજે રાહુલ ગાંધી અને પીએમ મોદી કરશે રેલી
જલગાંવ અને સકોલીમાં ચૂંટણીસભાને સંબોધશે પીએમ મોદી
Prime Minister Narendra Modi to address rallies in Jalgaon and Sakoli & Congress leader Rahul Gandhi to address rallies in Chandivali, Dharavi and Latur of Maharashtra today. #MaharashtraAssemblyPolls (file pics) pic.twitter.com/nedWelSlys
પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 2 રેલીઓને સંબોધિત કરશે. તેઓએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે તેઓ સકોલી અને જલગાવમાં રેલીઓને સંબોધિત કરશે. તેઓએ કહ્યું મહારાષ્ટ્રમાં કાલે પ્રચાર કરીશું. જલગાંવ અને સકોલીમાં રેલીને સંબોધિત કરવા હું ઉત્સુક છું. યુવા અને દૂરદર્શી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વની સરકારના કામના આધારે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. અમે રાજ્યની સેવા કરવા માટે 5 વધુ વર્ષ માંગીશું.
આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ પીએમ મોદી કુલ 4 દિવસમાં 9 જનસભાને સંબોધિત કરવાના છે. જેમાં વિદર્ભ, કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડાના વિસ્તારોનો સમાવેશ કરાયો છે. 16 ઓક્ટોબરે પીએમ અકોલા, પરતૂર અને એરોલીમાં સભા સંબોધશે. 17 ઓક્ટોબરે પંકજા મુંડેની પરલી વિધાનસત્રામાં અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેને માટે લોકસભા સીટ સતારામાં જનતાને સંબોધિત કરશે. 18 ઓક્ટોબરે રાજ્યમાં પીએમ મોદીની મુંબઈના પુણેમાં કોથરુડમાં જનસભા યોજાશે. આ સભા ભાજપ- શિવસેનાની સંયુક્ત સભા હોઈ તેમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ રહેશે હાજર.
રાહુલ ગાંધી કરશે 3 રેલીને સંબોધિત
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ થનારી વિધાનસભાની ચૂંટણીને માટે રવિવારે 3 રેલીને સંબોધિત કરીને પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. પાર્ટીના એક પદાધિકારીએ શુક્રવારે આ માહિતિ આપી હતી.
રાહુલ ગાંધી આ જગ્યાઓએ સંબોધશે રેલી
રાહુલ ગાંધી આજે બપોર બાદ અસુઆ (લાતુર)માં કોંગ્રેસ ઉમેદવાર બસાવરન એમ. પાટિલને માટે થનારી રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ મુંબઈની ચાંદીવલીમાં પાર્ટી ઉમેદવાર નસીમખાન અને ધારાવીમાં વર્ષા ગાયકવાડને માટે થનારી રેલીમાં પણ પોતાનો મત રાખશે.
રાહુલ ગાંધી આ વાતને બનાવશે મુદ્દો
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેંક ગોટાળાનો ઉલ્લેખ કરીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી શિવસેનાને ઉઘાડા પાડશે.