નવી દિલ્હીઃ વિજય માલ્યાનું અરૂણ જેટલી સાથેની મુલાકાતનું નિવેદન સામે આવતાની સાથે જ રાજનીતિ ગરમાઈ છે. ત્યારે વિજય માલ્યા મામલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધી પર વળતા પ્રહાર કર્યા હતા. ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી અને માલ્યા વચ્ચે જુગલબંધી છે. મોદી સરકાર લોન રિકવરીનું કામ કરી રહી છે. રાહુલ કિંગફિશર સાથેના પોતાના સંબંધનો ખુલાસો કરે. રાહુલ ગાંધી દેશવાસીઓ સામે ફક્ત જુઠ્ઠાણું ફેલાવે છે. મોદી સરકારે માલ્યાને લોન નથી આપી. UPAના સમયમાં વિજય માલ્યાને લોન મળી છે. બેંક લોન ડિફોલ્ડર્સ સામે અમારી સરકારે પગલા લીધા છે. પૂર્વ PM મનમોહનસિંહે વિજય માલ્યાની મદદ કરી છે.
વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પાયાવિહોણી વાતો કરી રહી છે. ગાંધી પરિવારના કહેવાથી માલ્યાને UPA સરકારે માલ્યાને મદદ કરી છે. દેશ સામે રાહુલે માલ્યા સાથેના કનેક્શનનો ખુલાસો કરવો જોઈએ. રાહુલ અને વિજય માલ્યા વચ્ચે સબંધો હતા. જેટલી અગાઉ પણ ખુલાસો કરી ચૂક્યા છે. અમે તપાસ એજન્સીઓની કામગીરીમાં દખલગીરી નથી કરતા. ડિફોલ્ડર્સ સામે આવી કડક કાર્યવાહી અગાઉ ક્યારેય નથી કરાઈ.
મહત્વનું છે કે કોંગ્રેસ નેતા પી.એલ.પૂનિયાના નિવેદન બાદ રાહુલ ગાંધીએ અરૂણ જેટલીના રાજીનામાની માગ કરી છે. ત્યારે શહેજાદ પુનાવાલાએ રાહુલના નિવેદન પણ નિરવ મોદી અને મોહુલ ચોક્સીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું
અરૂણ જેટલી અને વિજય માલ્યા વચ્ચે અઢી વર્ષ પહેલા થયેલી મુલાકાત હાલ વિવાદનું કારણ બની છે. અરૂણ જેટલી પર રાજીનામુ આપવાનું કોંગ્રેસનું દબાણ છે. ત્યારે કોંગ્રેસ પણ આરોપોથી અળગી નથી રહી. માત્ર વિરોધીઓ જ નહીં કોંગ્રેસના પોતાના નેતા જ કૌભાંડકાળને યાદ કરીને રાહુલ ગાંધીને ઘેરવા લાગ્યા છે.
રાહુલ ગાંધી અને નીરવ મોદી વચ્ચે થયેલી મુલાકાતનો ઉલ્લેખ
વિજય માલ્યાના નિવેદન બાદ આરોપોના શસ્ત્ર સાથે રાજકીય મેદાનમાં આવેલી કોંગ્રેસ હવે પોતે જ ગંભીર આરોપથી ઘેરાઇ ગઇ છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં પી.એલ.પુનિયાને પુરાવા રૂપે રજૂ કરીને અરૂણ જેટલીનું રાજીનામુ તો માગી લીધું. પરંતુ કોંગ્રેસના જ નેતા શહેઝાદ પુનાવાલાએ રાહુલ ગાંધી અને નીરવ મોદી વચ્ચે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરીને પાર્ટી સામે વિદ્રોહ કરી દિધો છે.
એટલે પૂનિયાના નિવેદનને પાયો બનાવીને કોંગ્રેસના પૂનાવાલાએ વિવાદની ઇમારત બનાવી નાખી છે. તો પછી ભાજપ પણ કેમ ચૂપ રહે. જેટલી પર આરોપોની વણઝાર થયા બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પણ મીડિયા સમક્ષ આવ્યા હતા. બે અલગ અલગ મુદ્દે રાહુલ ગાંધીને ઘેરી લીધા હતા. જ્યારે બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.
લોનની રકમમાં વધારો કરવો તે બેંકનું કાર્ય
જો કે શહેઝાદ પુનાવાલા અને સંબિત પાત્રાએ લગાવેલા આરોપોનો કોંગ્રેસે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. પુનાવાલાને તો ભાજપ સમર્થક કહી દિધા હતા. પુરાવા પર ગુંચવણ ઊભી ન કરો આ એક પાર્ટી અને તેના સમર્થકોનો એજન્ડા છે. લોનની રકમમાં વધારો કરવો તે બેંકનું કાર્ય છે.
વિજય માલ્યા બે-બે વખત કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ બન્યા
કોંગ્રેસ ભલે સફાઇ આપે પરંતુ હવે સવાલોના ઘેરામાં અરૂણ જેટલીના સાથે રાહુલ ગાંધી પણ છે. નવાઇની વાત એ પણ છે કે અપક્ષ ઉમેદવારી નોંધાવીને વિજય માલ્યા બે બે વખત કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તેમાં કોંગ્રેસ અને ભાજપની રાજકીય ભૂમિકા સ્પષ્ટ છે. ત્યારે હવે આ જ બન્ને પક્ષ એકબીજા પર આરોપોનો કિચડ ફેંકીને પોતે સાફ સુથરા-બેદાગ હોવાનો યશ લઇ રહ્યા છે. સામસામે લાગી રહેલા આરોપો વચ્ચે દેશ માટે સૌથી મોટો સવાલ એ છે કે 17 બેંકોના સાડા 9 હજાર કરોડ રૂપિયા ચાંઉ કરી જનાર માલ્યા પાસેથી કઇ રીતે રૂપિયા પરત આવશે. માલ્યાને તેના ગુનાની સજા મળશે કે કેમ ? પણ અફસોસ ભારતીય રાજકારણના કુંવરોને જાણે કે આ વાતમાં રસ જ નથી.
માલ્યાના આરોપ - જેટલીનો બચાવ અરુણ જેટલીને મળ્યો હતો - માલ્યાને ચાલતા ચાલતા મળ્યો જેટલી સાથે બેંકોના દેવા વિશે વાત થઈ - બેંકોના દેવા પર માલ્યાએ વાત કરી બેંકો સાથે સેટલમેન્ટ કરવા માગતો હતો - બેંકો સાથે વાત કરવાની ચર્ચા થઈ હતી લંડન જવાની વાત જેટલીને કરી હતી - મેં માલ્યાને નજરઅંદાજ કર્યા
રાહુલના સવાલ - ભાજપના જવાબ પુનિયાની સામે માલ્યા જેટલી મળ્યા -મળ્યાની વાત ખોટી છે જેટલીએ માલ્યાની હકિકત છુપાવી - માલ્યાને સોનિયા-રાહુલના આશિર્વાદ શું મોદીના આદેશથી માલ્યાને મદદ કરી? - કિંગફિશર ગાંધી પરિવારની કંપની છે માલ્યા-જેટલી વચ્ચે શું ડીલ થઈ? - રાહુલના લંડન પ્રવાસ પછી આરોપ કેમ? જેટલીએ ED-CBIને જાણ કેમ ન કરી? - માલ્યા ભાગશે તેવી જાણ ન હતી