કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વિટ કર્યું અને કહ્યું કે પીએમ મોદી દેશને બરબાદ કરી રહ્યાં છે. નોટબંધી, જીએસટી, કોરોના મહામારીમાં દૂર્વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રોજગારનો સત્યાનાશ. તેમના મૂડીવાદી માધ્યમોએ એક માયાજાળ રચી છે, આ ભ્રમ જલ્દી તુટી જશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાહુલ ગાંધીએ રાફેલ ખરીદીને લઇને મોદી સરકારને સવાલ પૂછ્યાં હતા. રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે પ્રત્યેક વિમાનની કિંમત 526 કરોડના બદલા 1670 કરોડ કેમ આપવામાં આવી ? 126 ના બદલે 36 વિમાન જ કેમ ખરીદ્યા ? HAL ના બદલે નાદાર અનિલ અંબાણીને 30 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો ?
मोदी देश को बर्बाद कर रहे हैं।
1. नोटबंदी
2. GST
3. कोरोना महामारी में दुर्व्यवस्था
4. अर्थव्यवस्था और रोज़गार का सत्यानाश
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક સમાચાર ટ્વિટ કરી લખ્યું છે કે, 'મોદી દેશને બરબાદ કરી રહ્યાં છે'. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ચાર વસ્તુઓ દેશને બરબાદ કરી રહી છે અને આ ભ્રમ જલ્દી તુટશે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું મોદી દેશને બરબાદ કરી રહ્યાં છે. નોટબંધી, GST, કોરોના મહામારીમાં દૂર્વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા અને રોજગારનો સત્યાનાશ. રાહુલ ગાંધીએ લખ્યું કે તેઓના મુડીવાદી માધ્યમો દ્વારા માયાજાળ રચ્યાં છે. આ ભ્રમ જલ્દી તૂટશે.