ચીન સાથે અથડામણ અને કોરોના વાયરસ મુદ્દે રાહુલ ગાંધી ઘણા સમયથી આક્રમક રીતે વડાપ્રધાન મોદી પર હુમલા કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર વીડિયો અને ટ્વિટના માધ્યમથી રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે ત્યારે આજે પણ તેમણે કોરોના વાયરસથી જોડાયેલ એક અહેવાલના આધારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપે જુઠ્ઠાણાને સંસ્થાગત રૂપ આપી દીધું છે.
મોદી સરકાર પર રાહુલ ગાંધીનો હુમલો
કોરોના વાયરસ ટેસ્ટની સંખ્યા ઓછી કરીને તેનાથી થતી મોતના આંકડા છુપાવ્યા : રાહુલ ગાંધી
વહેમ ટૂંક સમયમાં તૂટશે, દેશ તેની કિંમત ચૂકવશે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોના સંક્રમણ અને અને તેનાથી થઇ રહેલી મોતને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે ભાજપ સરકાર કોરોના વાયરસ સંક્રમણ અને તેનાથી થતી મોત મામલે ખોટું બોલી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના વાયરસ હોય, જીડીપી હોય કે પછી ચીની ઘુષણખોરી, ભાજપે પે જુઠ્ઠાણાને સંસ્થાગત રૂપ આપ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે ભાજપે જે ભ્રમ ફેલાવ્યો છે તે ટૂંક સમયમાં તૂટશે અને તેની કિંમત ભારતે ચૂકવવી પડશે.
BJP has institutionalised lies.
1. Covid19 by restricting testing and misreporting deaths.
2. GDP by using a new calculation method.
3. Chinese aggression by frightening the media.
રાહુલએ ટ્વિટ કરીને કહ્યું કે 'ભાજપે જુઠ્ઠાણાને સંસ્થાગત રૂપ આપ્યું'
1.કોરોના વાયરસ ટેસ્ટની સંખ્યા ઓછી કરીને તેનાથી થતી મોતના આંકડા છુપાવીને
2.GDP માટે નવી ગણતરી પદ્ધતિ અપનાવીને
3.ચાઇનીઝ આક્રમકતા પર મીડિયાને ડરાવીને
વહેમ ટૂંક સમયમાં તૂટશે, દેશ તેની કિંમત ચૂકવશે
भाजपा झूठ को संस्थागत तौर पर फैला रही है।
1. Covid19 टेस्ट पर बाधाएँ लगायीं और मृतकों की संख्या ग़लत बतायी।
2. GDP के लिए एक नई गणना पद्धति लागू की।
3. चीनी आक्रमण पर पर्दा डालने के लिए मीडिया को डराया।
ये भ्रम जल्द ही टूट जाएगा और देश को इसकी भारी क़ीमत चुकानी होगी।
રાહુલ ગાંધીએ આ મુદ્દાઓ પર પહેલા પણ સરકાર પર આક્રમક હુમલાઓ કર્યા હતા. ટૂંક સમય પહેલા જ રાહુલ ગાંધીએ ટ્વિટર કોરોના વાયરસ મુદ્દે કહ્યું હતું કે જો આ રીતે જ સંક્રમણ વધ્યું તો 10 ઓગસ્ટ સુધી કોરોનાનો કુલ આંકડો 20 લાખને પાર જતો રહેશે. સાથે જ તેમણે ટકોર કરી હતી કે સરકારે આ મામલે નક્કર પગલા લેવા જોઈએ.