ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી કેન્દ્રની મોદી સરકાર પર આડકતરા પ્રહાર કર્યા છે.
ભારતમાં સતત વધતાં કોરોના કેસ વચ્ચે રાહુલ ગાંધીનું ટ્વિટ
બે લાખ લોકોના મોત થઈ ગયા, જવાબદારી ઝીરો : રાહુલ ગાંધી
સિસ્ટમે કરી દીધા 'આત્મનિર્ભર' : રાહુલ ગાંધી
સિસ્ટમે કરી દીધા આત્મનિર્ભર : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કોરોના વાયરસના પ્રકોપને લઈને ફરીથી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે, રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ટોણો મારતા કહ્યું કે બે લાખ લોકોના મોત થઈ ગયા, જવાબદારી ઝીરો. લો કરી દીધા આત્મનિર્ભર. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેરનો ચોથો સપ્તાહ, બે લાખથી વધારે મોત અને જવાબદારી ઝીરો, કરી દીધા સિસ્ટમે 'આત્મનિર્ભર'.
कोविड की दूसरी लहर
का चौथा सप्ताह
2 लाख से ज़्यादा मृतक
जवाबदेही ज़ीरो
ટ્વિટર પર સતત સરકારને આડે હાથ લઈ રહ્યા છે રાહુલ ગાંધી
નોંધનીય છે કે આ પહેલા તેમણે એક કવિતાના અંશ મૂકીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. અને કહ્યું હતું કે એકબીજાની સહાયતા કરી રહેલા લોકો દેખાડી રહ્યા છે કે કોઈનું દિલ અડકવા માટે હાથ લગાવવાની જરૂર નથી, મદદ માટે હાથ વધાર્યા રાખો અને આ આંધળા સિસ્ટમને સત્ય બતાવતા રહો. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તથા કોરોના વેક્સિનની એક કિંમત મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 3,86,452 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3498 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવતાં હાહાકાર જેવી સ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે 2,97,540 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.