લદાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. તેને ઘટાડવા માટે ભારત અને ચીનના વિદેશ પ્રધાનો ગુરુવારે પહેલીવાર બેઠક યોજાઇ હતી, જેની પહેલા મોસ્કોમાં બંને દેશોના રક્ષામંત્રીની પણ બેઠક મળી હતી.
રાહુલ ગાંધીએ ચીન મુદ્દે પીએમ મોદી પર સાધ્યું નિશાન
પીએમ મોદી જવાબદારીથી પીછેહઠ કરવાનો લગાવ્યો આરોપ
ચીન સાથે માર્ચ 2020ના સ્ટેટ્સ ક્વોને બહાલ કરવાની કરી માંગણી
ભારત અને ચીન વચ્ચે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલા તણાવ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે "ચીન સાથે માત્ર એક જ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. માર્ચ 2020ની સ્થિતિની પુન:સ્થાપના પર. વડા પ્રધાન અને ભારત સરકાર બંને ચીનને આપણી ભૂમિથી ઉખાડી ફેંકવાની જવાબદારીથી પાછળ હટી ગયા છે. તેથી હવે વધુ ચર્ચા માટે કોઈ અવકાશ રહેતો નથી."
The only “talk” to have with China is about restoration of ‘Status Quo Ante’ as of March 2020.
PM & GOI refuse to take responsibility for pushing China out of our land.
રાહુલ સતત ચીન મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આ અગાઉ કોંગ્રેસના સાંસદે શુક્રવારે સવારે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, "ચીને અમારી જમીન પર કબજો કર્યો છે. ભારત સરકાર તેને પાછો મેળવવાની યોજના બનાવી રહી છે? કે પછી તેને એક 'કુદરતી ઘટના' ગણીને છોડી દેવામાં આવી રહી છે?"
ભારત ચીન વચ્ચે ચાલી રહ્યો છે ચાર મહિનાથી સીમા વિવાદ
ઉલ્લેખનીય છે કે લદાખ બોર્ડર પર છેલ્લા ચાર મહિનાથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. તેને ઘટાડવા માટે ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચે ગુરુવારે પહેલીવાર મુલાકાત યોજાઇ હતી, વિદેશ પ્રધાન એસ.કે. જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની સામે સરહદે ચીનની ગેરકાયદે ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટ ચીમકી આપી હતી કે સરહદે ચીનને તેના સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવો જ પડશે.
ભારતે ચીન સામે સરહદે સૈનિકોની તૈણતીનો ઉઠાવ્યો હતો મુદ્દો
જો સૂત્રોની વાત માનીએ તો ભારતે ચીનની સામે સરહદ પર ચીની સૈનિકોનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. એમ પણ કહ્યું કે 1993-1996 માં જે પણ કરાર થયા હતા તે તેનું ઉલ્લંઘન છે. ' ભારતે એમ પણ કહ્યું હતું કે ચીને આટલા સૈનિકો કેમ તૈનાત કર્યા છે, તેનો જવાબ મળ્યો નથી.
બીજી તરફ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ પણ સરહદ પર શાંતિ વિશે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે સરહદ પર ફાયરિંગ, ઘૂસણખોરી જેવી ઘટનાઓ વાતાવરણ બગાડી શકે છે. ચીને સૈનિકોની સંખ્યા ઘટાડવાની વાત કરી હતી.
જો કે, આ વાતચીત સિવાય ભારત હજી પણ તે જ પ્રસ્તાવ પર અડગ છે જેમાં તે સરહદ પર એપ્રિલ પહેલાંની પરિસ્થિતિનો અમલ કરાવવા માંગે છે. સૂત્રો કહે છે કે વાતચીત બાદ પ્રથમ લક્ષ્ય સરહદ પરથી સૈન્યની સંખ્યા ઘટાડવાનું છે, જેનો બંને દેશોએ તાત્કાલિક અમલ કરવો પડશે.