એક તરફ જ્યાં ભારત અને ચીનની સરહદ પર તણાવ ચરમસીમા પર છે ત્યારે કોંગ્રેસ નેતાએ બાંગ્લાદેશ સાથે બગડતાં સંબંધોને લઈને સરકાર પર હુમલો કર્યો છે.
રાહુલ ગાંધીના બાંગ્લાદેશના નામે PM પર પ્રહાર
બાંગ્લાદેશ-ચીનના સંબંધોને લઇ સાધ્યું નિશાન
કોંગ્રેસે દાયકાઓથી બનાવેલા સંબંધો નષ્ટ કરી દિધા: રાહુલ
કોઇ મિત્ર વિના પડોશમાં રહેવુ જોખમી છે: રાહુલ
રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો. તેમણે પોતાની ટેવ અનુસાર ટ્વિટના માધ્યમથી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે પડોશમાં એક પણ મિત્ર વગર રહેવું એ અત્યંત જોખમી છે. તેમણે વડાપ્રધાન મોદી પર પડોશી દેશ સાથે સંબંધો બગાડવાનો આરોપ લગાવ્યો.
Mr Modi has destroyed the web of relationships that the Congress built and nurtured over several decades.
રાહુલે કહ્યું કે મોદીએ કોંગ્રેસે દાયકાઓમાં બનાવેલા સંબંધોને નષ્ટ કરી દીધા. નોંધનીય છે કે વર્તમાનમાં ભારત અને ચીનના સંબંધો અત્યંત વણસી ગયા છે. એવામાં રાહુલ ગાંધીએ બાંગ્લાદેશ સાથે પણ બગડતા સંબંધો વિશે મુદ્દો ઉઠાવ્યો છે અને એક અહેવાલના આધારે સકરાર પર હુમલો કર્યો છે.
''કોઇ મિત્ર વિના પડોશમાં રહેવું જોખમી''
રાહુલ ગાંધીએ જે અહેવાલના આધારે સરકાર પર હુમલો કર્યો છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે ખૂબ ઝડપથી બાંગ્લાદેશ અને ચીન વચ્ચે નિકટતા આવી રહી છે અને ચીન સાથે ભારતની સરહદ પર વિવાદ થઇ રહ્યો છે ત્યારે બાંગ્લાદેશનું ચીન તરફ જવું એક ખતરાનો સંકેત છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી વડાપ્રધાન બન્યા તે બાદ તેમણે ઘણા બધા દેશો યાત્રાઓ કરી અને સરકાર તથા ભાજપ દુનિયાના દેશો સાથે ભારતના સંબંધો મુદ્દે પોતાની પીઠ થાબડતા રહ્યા છે કે નરેન્દ્ર મોદીની રણનીતિના કારણે આજે બધા દેશો ભારતની સાથે આવી રહ્યા છે એવામાં રાહુલ ગાંધીએ મોદી સરકારની આ જ કૂટનીતિ પર સવાલ ઉઠાવી દેતા રાજકારણ ગરમાયું છે.
આ સિવાય ચીન સાથે થયેલા વિવાદ હોય કે કોરોના વાયરસનો મુદ્દો રાહુલ ગાંધી સોશ્યલ મીડિયાના માધ્યમથી જ સરકાર પર હુમલાઓ કરી રહ્યા છે.