બજેટ સત્ર શરુ થવાના એક દવિસ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર અને તેમની સરકાર પર નિશાન તાક્યું છે.
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન તાક્યું
બજેટ સત્ર શરુ થવાના એક દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર નિશાન તાક્યું છે.
Mr Modi’s governance is a lesson in how to ruin one of the world’s fastest growing economies.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કેવી રીતે ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડય, તે કેન્દ્રની મોદી સરકાર પાસેથી શીખો.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, 'શ્રી મોદી ની સરકાર આ વાતની શીખ છે કેવી રીતે દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થામાંની એકને બરબાદ કરી શકાય'
29 જાન્યુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે, તે પહેલા કોંગ્રેસ મોદી સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહ્યાં છે. આ પહેલા રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ પર ગતિરોધને લઇને બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે તેઓ દેશને 'કમજોર અને તબાહ કરી રહ્યાં છે.' રાહુલ ગાંધીએ દાવો પણ કર્યો કે પહેલી વખત ચીનના સૈનિકો ભારતીય સરહદની અંદર ઘૂસીને બેઠા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આરોપ લગાવ્યો છે કે RSS નફરત ફેલાવી રહ્યું છે અને દેશની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરવા માટે જવાબદાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'તમને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તાંતણાઓને નુકસાન પહોંચાડી રહ્યાં છે. પહેલી વખત ચીનના સૈનિક ભારતની સરહદની અંદર બેઠા છે. આપણી અર્થવ્યવસ્થાન જે ક્યારેક દુનિયામાં સૌથી સારુ કરી રહી હતી, તે હાલ ધ્વસ્ત જોવા મળી રહી છે. આપણા યુવાનોને નોકરીઓ મળી રહી નથી. આ બધું RSSની વિચારધારાનું પરિણામ છે. '