કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરી એકવાર ગુજરાત આવી શકે છે, રાહુલ ગાંધી સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે જેને લઈને તેમને કોર્ટમાં હારજ રહેવાનો નિર્દેશ કરાયો છે. ત્યારે કોંગ્રેસ નેતા ફરી એકવાર સુરત કોર્ટમાં હાજર રહેશે.
રાહુલ ગાંધી ફરી એકવાર સુરત કોર્ટમાં રહેશે હાજર
મહત્વનું છે કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટક ધરાવનારને લઈને કરેલી ટિપ્પણી બદલ સુરતના પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ ચાલી રહ્યો છે. જેને લઈને રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કરાયો છે.
માનહાનિ કેસમાં કર્ણાટકના 2 સાક્ષીઓની જુબાની લેવાય
સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નોંધાવેલી ફરિયાદના આધારે કેસ ચાલી રહ્યો છે, જોકે હાલ પૂર્ણેશ મોદી રાજ્યના માર્ગ મકાન મંત્રી બન્યા છે ત્યારે હવે કેસને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. માનહાનિ કેસને લઈને હાઈકોર્ટના નિર્દેશ બાદ કર્ણાટકના બે સાક્ષીની જુબાની લેવાઈ છે,ત્યારે હવે ફર્ધર સ્ટેન્ટમેન્ટ માટે રાહુલ ગાંધીને ફરી એકવાર સુરત કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કરાયો છે જેને લઈ રાહુલ ગાંધી તા.29 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહે તેવું જણાઈ રહ્યું છે