ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ ટુર પર જશે અને ત્યાં ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે રમવાની છે.આ સીરિઝમાં સિનિયર ખેલાડીઓ સહિત કોચ રાહુલ દ્રવિડને પણ આરામ આપવામાં આવશે.
હાલ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ ટુર પર જશે
દ્રવિડ નહીં તો કોણ સંભાળશે કોચિંગ કમાન?
ટી-20 સિરીઝની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી
ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની સફર પૂર્ણ થઇ ગઈ છે. સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ તરફથી 10 વિકેટથી મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં પહેલા બેટિંગ કરીને 168 જેટલો સ્કોર બનાવ્યો હતો જેમાં ઇંગ્લેન્ડનાં ધમાકેદાર બેટ્સમેનોએ વગર કોઇ વિકેટનાં નુક્સાન પર વિજય મેળવ્યો હતો. માત્ર 16 ઓવરમાં જીત હાંસિલ કરી ટીમ ઇંગ્લેન્ડે ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. વર્લ્ડ કપ ભલે હાથમાંથી છૂટી ગયો આપણ ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ભારત પરત નહીં ફરે.
#TeamIndia put up a fight but it was England who won the match.
We had a solid run till the semifinal & enjoyed a solid support from the fans.
હાલ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ ટુર પર જશે
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ ટુર પર જશે અને ત્યાં ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે રમવાની છે. અને આ ટુરના ટી-20 સિરીઝની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. આ સાથે જ રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત જેવા ઘણા સિનિયર ખેલાડીઓને આ ટુરમાંથી આરામ આપવામાં આવ્યો છે. જો કે આ બધા વચ્ચે એક રિપોર્ટ સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોચ રાહુલ દ્રવિડને પણ આરામ આપવામાં આવી શકે છે.
દ્રવિડ નહીં તો કોણ સંભાળશે કોચિંગ કમાન?
મળતી જાણકારી અનુસાર રાહુલ દ્રવિડની જગ્યાએ VVS લક્ષ્મણ ન્યૂઝીલેન્ડ ટુર માટે ભારતીય ટીમનું કોચિંગ સંભાળતા જોવા મળશે. જો કે આ ટુર બાદ દ્રવિડ ફરીથી પોતાનો કાર્યભાર સંભાળશે. આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે દ્રવિડ સિવાય બાકીના સ્ટાફને પણ આ ટુરમાં આરામ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ ટુર પર ODI ટીમની કપ્તાની શિખર ધવનના હાથમાં રહેશે.
આ સ્ટાર ખેલાડીઓને મળશે આરામ
ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા ખેલાડીઓ હવે T20 વર્લ્ડ કપ 2022 બાદ પોતાના ઘરે પરત ફરશે. જણાવી દઈએ કે નવેમ્બર બાદ ભારતે ડિસેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે.