ટીમ ઇન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડે સાઉથ આફ્રિકા સામે નંબર 4 પર દિનેશ કાર્તિકને મોકલવા પર જવાબ આપતા કહ્યું કે તે જેમણે વધારે બેટિંગ કરી નથી, તેમને તક આપવાનો સમય હતો.
સાઉથ આફ્રિકા સામે દિનેશ કાર્તિકને નંબર 4 પર બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા
રાહુલ દ્રવિડે કહ્યું કે જેમણે વધારે બેટિંગ કરી નથી, તેમને તક આપવાનો સમય હતો
ભારત 2-1થી સીરીઝનું વિજેતા બન્યું
ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝની ત્રીજી મેચમાં 49 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇન્દોરમાં રમવામાં આવેલી આ મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપવામાં આવ્યો હતો. મુકાબલામાં કેપ્ટન રોહિત શર્મા સાથે રિષભ પંતે ઓપન કર્યું. જ્યારે નંબર 4 પર દિનેશ કાર્તિકને ઉતારવામાં આવ્યા. મેચ બાદ હેડ કોચ રાહુલ દ્રવિડે આ પાછળનું કારણ પણ જણાવ્યું.
દિનેશ કાર્તિકે નંબર 4 પર મચાવી ધમાલ
અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે નંબર 4 પર ધમાલ મચાવી. તેમણે 219 કરતા વધારેની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. કાર્તિકે 21 બોલમાં 46 રન બનાવ્યા અને ચાર ચોક્કા અને ચાર સિક્સર ફટકારી. તેઓ ટીમ માટે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન પણ રહ્યા. પંતે ઓપનર તરીકે 14 બોલ પર 27 રન બનાવ્યા. તેમણે ત્રણ ચોક્કા અને બે સિક્સર ફટકારી. દીપક ચાહરે 17 બોલ પર બે ચોક્કા અને ત્રણ સિક્સર ફટકારીને 31 રન બનાવ્યા.
કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કારણ
દ્રવિડે કહ્યું કે આજે એ લોકોને તક આપવાનો સમય હતો, જેમણે વધારે બેટિંગ કરી નથી. ઋષભ પંત, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ માટે આ મુશ્કેલ છે. પંતે શરૂઆત કરી અને દિનેશ કાર્તિકને ચોથા નંબર પર મોકલવામાં આવ્યા. તેઓ શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. ચાર - પાંચ ઓવર જો તેઓ વધારે રમ્યા હોત, તો આ રમત રસ્સાકસ્સીની રમત બની ગઈ હોત.
ભારતે જીતી સીરીઝ
સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને ઇન્દોરમાં રમવામાં આવેલ સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં 49 રનથી માત આપી. ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને મહેમાન ટીમને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. સાઉથ આફ્રિકાએ રીલી રોસોનાં અણનમ 100 રન અને વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડિ કોકનાં 68 રનને કારણે 20 ઓવરમાં ત્રણ વિકેટ પર 227 રન બનાવ્યા. ભારતે સીરીઝ 2-1થી પોતાને નામ કરી.