નેશનલ ક્રિકેટ એકેડમની (NCA) નો પ્રમુખ અને ટીમ ઇન્ડિયનો પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ શુક્રવારે બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાથે સમય વીતાવ્યો.
રાહુલ દ્રવિડ બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીનો પ્રમુખ છે.
મોહાલીમાં રમાયેલી બીજી T-20 મેચ જીત્યા પછી ટીમ ઇન્ડિયા ગુરુવારે બેંગ્લુરુ પહોંચી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ત્રીજી T-20 મેચના પહેલા ટીમના ખેલાડીઓ હેડ કોચ રવિ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ફોટો ટ્વીટ કરતા લખ્યુ કે, ''જ્યારે ભારતીય ક્રિકેટના બે મહાન ક્રિકેટર્સ મળ્યા.''
નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ઘની સીરિઝની પહેલી મેચ વરસાદને કારણે રદ્દ થઇ હતી. જ્યારે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને બીજી T-20 મેચમાં 7 વિકેટથી હરાવ્યુ હતુ. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એ 72* રનની ઇનિંગ રમી અને એક શાનદાર કેચ પકડ્યો હતો. વિરાટને આ મેચ માટે મેન ઑફ ધ મેચનું ટાઇટલ આપવામાં આવ્યુ હતુ.
રાહુલ દ્રવિડ ઇન્ડિયા-A અને અંડર-19 ટીમનો કોચ હતો
રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીનો પ્રમુખ બન્યા પહેલા ઇન્ડિયા-A અને અંડર-19 ટીમનો કોચ હતો. તેને જુલાઈમાં નેશનલ ક્રિકેટ એકેડમીનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. દ્રવિડના માર્ગદર્શન હેઠળ શ્રેયસ અય્યર, મનીષ પાંડે, કૃણાલ પંડ્યા, રિષભ પંત, નવદીપ સૈની અને દિપક ચહરે ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવી છે. દિપકે મોહાલી ખાતેની બીજી T-20માં સારો દેખાવ કરતા 2 વિકેટ ઝડપી હતી.