રાહુલ દ્રવિડનું ટીમ ઈન્ડિયાના હોડ કોચ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. મંગળવારે દ્રવિડે હેડ કોચ પદ માટે એપ્લાય કર્યું છે.
રાહુલ દ્રવિડ બનશે ભારતીય ટીમના નવા કોચ
આખરે કોચ માટે કરી અરજી
જાણો કેટલું મળશે વેતન
T20 World Cup 2021 બાદ ભારતીય ટીમના નવા હેડ કોચ મળવાના છે અને આ પદ માટે રાહુલ દ્રવિડે અરજી પણ આપી છે. રાહુલ દ્રવિડે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની પોસ્ટ માટે એપ્લાય કર્યું છે. જણાવી દઈએ કે T20 World Cup 2021 બાદ હાલના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે અને રાહુલ દ્રવિડની તેમની જગ્યા લેવાની નક્કી માનવામાં આવી રહી છે. જણાવી દઈએ પહેલા રાહુલ દ્રવિડ હેડ કોચ બનવા માટે તૈયાર ન હતા પરંતુ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેમને લાંબી વાતચીત બાદ મનાવ્યા છે.
શ્રીલંકાના પ્રવાસે ગયા હતા રાહુલ દ્રવિડ
હાલમાં જ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાની સાથે શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમને હેડ કોચની જવાબદારી આપવામાં આવી હતી. રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમે શ્રીલંકાની વન ડે સીરીઝમાં માત આપી હતી. જોકે T20 World Cup 2021માં ભારતના ઘણા મુખ્ય ખેલાડીઓ કોરોનાના ઝપેટમાં આવી ગયા હતા જેના કારણે ટીમ ઈન્ડિયાને હાર મળી હતી.
જણાવી દઈએ કે T20 World Cup 2021 બાદ ન્યૂઝીલેન્ડથી ઘરેલુ સીરીઝ પણ રમવાની છે અને ત્યાંથી જ રાહુલ દ્રવિડ ટીમની કમાન સંભાળી શકે છે. ખબરએ છે કે રાહુલ દ્રવિડની ભૂમિકા હેડ કોચથી વધારે હોઈ શકે છે. હકીકતે રાહુલ દ્રવિડે ઘણા વર્ષો સુધી ભારતના જૂનિયર ખેલાડીઓ માટે કામ કર્યું છે. તે અંડર-19 ટીમને વર્લ્ડ કપ જીતાવી ચુક્યા છે સાથે જ ઈન્ડિયામાં ખેલાડીઓને વિકાસ માટે તેમને ખૂબ કામ કર્યુ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા છતાં ઈન્ડિયા-એ અને અંડર-19 ટીમો પર નજર રાખશે. તે આ ટીમોના કોચના હેડ બની શકે છે.
કેટલું હશે દ્રવિડનું વેતન?
દ્રવિડની ભૂમિકા હેડ કોચથી વધારે મોટી હશે તો એવામાં તેમનું વેતન પણ વધારે હશે. ટીમ ઈન્ડિયા છતાં હેડ કોચ રવિ શાસ્ત્રીને બીસીસીઆઈ સાડા 8 કરોડ રૂપિયા આપે છે પરંતુ દ્રવિડને તેનાથી વધારે વેતન મળવાની વાત સામે આવી રહી છે. દ્રવિડને બીસીસીઆઈ 10 કરોડ રૂપિયા સુધી આપી શકે છે.
અજય રાત્રા બનશે ફિલ્ડિંગ કોચ?
ભારતના પૂર્વ વિકેટકિપર અજય રાત્રાએ ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ બાદ માટે અરદી કરી છે. રાત્રાએ 6 ટેસ્ટ અને 12 વનડે મેચ ઉપરાંત 99 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી છે. ઘરેલુ ક્રિકેટમાં હરિયાણાની કેપ્ટનશીપ કરી ચુરેલા આ પૂર્વ ખેલાડીની પાસે કોચિંગનો સારો અનુભવ છે. તે હજુ આસામના મુખ્ય કોચ છે. આઈપીએલમાં તેમને દિલ્હી કેપિટલ્સની સાથે કામ કર્યું છે અને અતીતમાં ભારતીય મહિલા ટીમ સાથે જોડાયાઈ રહ્યા છે. રાત્રાએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિદ્ધિમાન સાહા અને ઋષભ પંત જેવા વિકેટકીપરોની સાથે પણ કામ કર્યું છે.