ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ફરી એકવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. નડ્ડાએ સોમવારે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંરક્ષણ બાબતોની સંસદીય સ્થાયી સમિતિની એક પણ બેઠકમાં ભાગ લીધો નહોતો, પરંતુ તેઓ સતત રાષ્ટ્રનું મનોબળ ઓછું કરી રહ્યા છે અને સશસ્ત્ર દળોની બહાદુરી પર સવાલ ઉભા કરે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
સંસદીય સ્થાયી સમિતિમાં રાહુલ ગાંધી રહેતા નથી હાજર
નિવેદનો આપીને સેનાનું ઘટાડી રહ્યા છે મનોબળ
ઉલ્લેખનીય છે કે, નડ્ડાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અનેક અહેવાલોમાં જણાવાયું છે કે રાહુલ ગાંધી હજુ સુધી સંસદની સ્થાયી સમિતિની એક પણ બેઠકમાં ભાગ લીધો નથી. જો કે ભાજપ અધ્યક્ષના આ નિવેદન પછી કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
રાહુલ ગાંધી સેનાનું મનોબળ ઘટાડી રહ્યા છે
ભાજપ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સંરક્ષણ અંગેની સ્થાયી સમિતિની એકપણ બેઠકમાં સામેલ થતાં નથી. પરંતુ દુ:ખની વાત એ છે કે તે આપણા નિવેદનોથી રાષ્ટ્રના મનોબળને સતત નીચે ધકેલી રહ્યો છે, આપણી સશસ્ત્ર દળોની બહાદુરી પર સવાલ ઉઠાવશે અને જવાબદાર વિપક્ષી નેતાએ ન કરવું જોઈએ તેવું બધું કરી રહ્યું છે.
- રક્ષા મંત્રાલય જે ગ્રાન્ટની માંગણી કરે તેના પર સંરક્ષણ બાબતોની આ સ્થાયી સમિતિ વિચાર કરે છે અને તેનો મત રિપોર્ટ સ્વરૂપે સંસદમાં રજૂ કરે છે
- રાજ્યસભાના ચેરમેન અને લોકસભાના અધ્યક્ષ રક્ષા મંત્રાલયના વિધેયકો જે સ્થાયી સમિતિમાં મોકલે તેની તપાસ આ સમિતિ કરે છે અને રિપોર્ટ રજૂ કરે છે
- રક્ષા મંત્રાલયના વાર્ષિક રિપોર્ટને વંચાણે આ સમિતિ લે છે અને તેના પર પોતાનો રિપોર્ટ બનાવે છે
- દેશની દિર્ઘકાલિન રક્ષા નીતિ વિશે સંસદમાં રજૂ થયેલા દસ્તાવેજોને જો રાજ્યસભાના ચેરમેન કે લોકસભાના અધ્યક્ષ સમિતિને રીફર કરે તો તેના પર રિપોર્ટ રજૂ કરવાનું કામ પણ આ સંરક્ષણ સ્થાયી સમિતિનું જ છે
કોંગ્રેસના કેટલા સાંસદો રક્ષા સમિતિમાં?
સંરક્ષણની સ્થાયી સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યો હોય છે. એમ સ્થાયી સમિતિમાં કુલ 31 સાંસદોનો સમાવેશ થાય છે. રક્ષા બાબતોની સ્થાયી સમિતિમાં લોકસભાના કુલ 21 સભ્યો છે જેમાં કોંગ્રેસના 2 સાંસદો છે. રાહુલ ગાંધી અને તેલંગાણાના મલકાજગીરીથી ચૂંટાયેલા સાંસદ અનુમુલા રેવાંથ રેડ્ડી.
રાજ્યસભાના 10 સભ્યો છે જેમાં કોંગ્રેસના બે સાંસદો સભ્યો પણ છે
જ્યારે રક્ષા બાબતોની સ્થાયી સમિતિમાં રાજ્યસભાના 10 સભ્યો છે જેમાં કોંગ્રેસના બે સાંસદો સભ્યો છે. કોંગ્રેસના સંજય રાઉત અને અભિષેક મનુ સિંઘવી રક્ષા બાબતોની સ્થાયી સમિતિમાં સભ્યો છે
આમ રક્ષા બાબતોની સ્થાયી સમિતિના કુલ 31 સભ્યોમાંથી લોકસભાના કોંગ્રેસના 2 અને રાજ્યસભાના 2 એમ કુલ મળીને કોંગ્રેસના 4 સાંસદો સભ્યો છે