નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનની યોજનાઓનો શ્રેય લેવાનો આરોપ લગાવતા કહ્યું કે એમનું ધ્યાન શેરડીના ખેડૂતો પર જતું નથી. ગાંધીએ ટ્વિટર પર કહ્યું કે ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતો વિચારી રહ્યા છે કે સંપ્રગ સરકારના કાર્યકાળની પરિયોજનાનો શ્રેય લેવા આવેલા પ્રધાનમંત્રી જી રોડ શો કરતાં એમના ખેતોની ચીરીને નિકળી જાય છે પરંતુ એમનું ધ્યાન એમની પર કેમ નથી જતું? દુર્ભાગ્યથી ઉદયવીર જેવા ખેડૂતો જેમને એમના હક માટે લડતા પોતાનો જીવ ગુમાવ્યો એ વિચારી પણ ના શકે.
UP के गन्ना किसान सोच रहे हैं कि UPA काल की परियोजना का श्रेय लेने आए प्रधानमंत्रीजी रोड शो करते हुए उनके खेतों को चीरते हुए निकल जाते हैं लेकिन उनका ध्यान उनपर क्यों नहीं जाता? दुर्भाग्य से उदयवीर जैसे किसान जिन्होंने अपने हक़ के लिए लड़ते हुए अपनी जान दे दी ये सोच भी नहीं सकते pic.twitter.com/1bmDB0DBIF
મોદીએ સવારે બાગપતમાં 14 લેનના દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેના પહેલા તબક્કાનું ઉદ્ધાટન કર્યું. આ પહેલા કોંગ્રેસ મુખ્યાલયમાં પાર્ટી પ્રવક્તા શક્તિ સિંહ ગોહિલસે સંવાદદાતાઓને કહ્યું કે મોદી સરકાર સંપ્રગ સરકારના કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલી પરિયોજનાઓનો શ્રેય લઇ રહી છે. આ દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેની જાહેરાત તત્કાલીન નાણા મંત્રી પી ચિદંબરમે પોતાના બજેટ ભાષણમાં કર્યું હતું અને એના માટે બજેટની ફાળવણી પણ કરી દીધી હતી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર શેરડીના ખેડૂતોની અનદેખાઇ કરી રહી છે અને એમની ઉપજની આવક આપવામાં આવી રહી નથી. ચૂંટણી દરમિયાન ખેડૂતોને કરેલા ઉપજના વાયદાને પૂરા કરવામાં આવ્યા નથી. એમને કહ્યું કે રાજમાર્ગ નિર્માણનું માપ સ્કેલ બદલાઇ ગયું છે.