ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી 20 ઇન્ટરનેશનલ મૅચ દરમિયાન ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર રાહુલ ચાહર ગુસ્સે થઇ ગયો હતો.
બીજી મૅચમાં હાર્યુ ભારત
વિકેટ લીધા બાદ ગુસ્સે થયો ચાહર
શ્રીલંકાના બેટ્સમેને પણ આપ્યુ રિએક્શન
ગુસ્સે થયો રાહુલ ચાહર
શ્રીલંકાની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે 15મી ઓવરના છેલ્લા બોલમાં ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર રાહુલ ચાહરે વાનિંદુ હસરંગાની વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે કૅચ પકડી લીધો હતો. જે બાદ રાહુલ ચાહર ખુબ ગુસ્સામાં દેખાઇ રહ્યો હતો અને તેણે હસરંગાને કંઇક કહ્યું હતુ. આ વીડિયો સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ચાહરની હરકત પર હસરંગાનું રિએક્શન
સોશ્યલ મિડીયા પર રાહુલ ચાહરના આ રિએક્શનની ખુબ ચર્ચા થઇ રહી છે અને રાહુલના આ રિએક્શન બાદ હસરંગા તેની તરફ હાથથી બેટ પર ટેપ કરતો નજર આવ્યો હતો.
શ્રીલંકાએ બીજી મૅચમાં ભારતને હરાવ્યું
તમને જણાવી દઇએ કે, બીજી મૅચમાં ભારતને ચાર વિકેટથી હરાવીને ત્રણ મેચની આ સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઇ હતી. ભારતે આ મેચમાં દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, નીતીશ રાણા અને ચેતન સાકરિયાને તક આપી હતી. જેમણે ઇન્ટરનેશનલ ટી 20માં ડેબ્યુ કર્યુ છે.
બીજી મૅચ પહેલા કૃણાલ પંડ્યા કોરોના પોઝીટીવ થયો જેના કારણે 9 ખેલાડી પણ સિરીઝથી બહાર થઇ ગયા છે. જે બાદ ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે અન્ય એક ખેલાડી સિરીઝથી બહાર થઇ જશે તેવી સંભાવનાઓ છે.
નવદીપ સૈનીની એક્ઝિટ?
શ્રીલંકા પ્રવાસ દરમિયાન બૉલિંગના કોચ પારસે નવદીપની ઇજાને લઇને અપડેટ આપી છે. તેમણે કહ્યું કે, નવદીપના કેસમાં મેડિકલ ટીમે નજર રાખેલી છે અને તે જે પ્રકારનો નિર્ણય આપશે તે પ્રમાણે જ ડિસીઝન લેવાશે. સિલેક્ટર્સને જે પણ અપડેટ હશે તે આપી દેવામાં આવશે.
10મો ખેલાડી બહાર
તમને જણાવી દઇએ કે, નવદીપ સૈનીની ઇજા ગંભીર હશે તો તે ટી 20 સિરીઝમાંથી બહાર થનારો 10મો ખેલાડી હશે. કોરોનાગ્રસ્ત કૃણાલ પંડયાના સંપર્કમાં આવેલા 9 ભારતીય ખેલાડીયોને T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવશે. પૃથ્વી શૉ, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, ઇશાન કિશન, દેવદત્ત પડિક્કલ અને કૃષ્ણપ્પા ગૌતમ T20 શ્રેણી રમી શકશે નહીં. માનવામાં આવી રહ્યું કે, આ બધા ખેલાડીઓ કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. જોકે હજી સુધી તેની કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.