છેલ્લા બે દિવસથી ફેસબુક અને ભાજપને લઈને કોંગ્રેસના તેવર વધુને વધુ કડક થઇ રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે પણ રાહુલ ગાંધીએ લોકોને ફેસબુક સામે સવાલો ઉઠાવવા અપીલ કરી છે.
ફેસબુક અને ભાજપ વચ્ચે સાંઠગાંઠના આરોપો પર રાહુલ ગાંધી આક્રમક મોડમાં
કોંગ્રેસ પાર્ટીએ ફેસબુક સીઈઓને લખ્યો પત્ર
લોકતંત્ર સાથે રમત નહીં થવા દઈએ : રાહુલ ગાંધી
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના હાલમાં જ પ્રકાશિત એક અહેવાલને લઈને કોંગ્રેસ વર્તમાનમાં કેન્દ્ર સરકાર પર આક્રમક છે. કોંગ્રેસ પાર્ટીએ ફેસબુકના સીઈઓને જે પત્ર લખ્યો છે તે ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક ભારતીયોએ ફેસબુક પર સવાલો ઉઠાવવા જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ લોકતંત્ર સાથે રમત થવા દેશે નહીં.
શું છે અહેવાલ
નોંધનીય છે કે અમેરિકન અખબાર દ્વારા આપવામાં આવેલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં સત્તાધારી ભાજપ નેતાઓની હેટ સ્પીચવાળી પોસ્ટ્સ પર નરમ વલણ અપનાવવામાં આવે છે. હવે આ રિપોર્ટના આધારે જ કોંગ્રેસ આખા મામલાની સંસદીય તપાસની માંગ કરી રહી છે.
पक्षपात, झूठी ख़बरों और नफ़रत-भरी बातों को हम कठिन संघर्ष से हासिल हुए लोकतंत्र के साथ खिलवाड़ नहीं करने देंगे।@WSJ ने खुलासा किया है कि फेसबुक इस तरह के झूठ और नफ़रत फैलाने का काम करती आयी है और उस पर सभी भारतीयों को सवाल उठाना चाहिए। pic.twitter.com/FecnAW90hH
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, 'પક્ષપાત, ખોટા સમાચારો અને નફરત ભરેલી વાતોને સંઘર્ષથી હાંસલ કરેલા લોકતંત્ર સાથે રમતા કરવા દઈશું નહીં. વોલ સ્ટ્રીટ જર્નલે ખુલાસો કર્યો છે કે ફેસબુક આ પ્રકારે નફરત ફેલાવવાનું કામ કરી રહી છે અને તેના પર બધા ભારતીયોએ સવાલ ઉઠાવવા જોઈએ.' નોંધનીય છે કે આ પહેલા પણ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યા હતા કે ભારતમાં ફેસબુક અને વોટ્સએપ પર ભાજપ અને આરએસએસનું નિયંત્રણ છે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર કોંગ્રેસનો તે પત્ર શેર કર્યો છે જેમાં પાર્ટીએ ફેસબુક પર આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખીને આખા વિવાદ પર તપાસની માંગ કરી છે.