કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદને લઇને સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. ત્યારે હવે તેમણે પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીની સેનાની પીછેહઠ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે થયેલી મુલાકાતને લઇને PM મોદીને ત્રણ સવાલ પૂછ્યા હતા.
ચીનની સેનાની પીછેહટ બાદ રાહુલ ગાંધીનું ટ્વિટ
ભારત-ચીન વિવાદ મુદ્દે રાહુલના સરકારને 3 સવાલ
LAC પર યથાશક્તિ કેમ નહીં: રાહુલ
ગલવાન ઘાટીમાંથી ચીની સેનાની પીછેહટ બાદ હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારત-ચીન સીમા વિવાદ મુદ્દે સરકારને 3 સવાલ કર્યા છે.. રાહુલ ગાંધીએ પૂછ્યું કે LAC પર યથાસ્થિતિ નહીં?,
રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યા સવાલ
રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. તો જૂની સ્થિતિ ફરી યથાવત કરવાની વાત કેમ નહીં? ગલવાન ઘાટીમાં ક્ષેત્રીય સંપ્રભુતાનો ઉલ્લેખ નહીં અને આપણી સેનાના 20 સૈનિક કેમ માર્યા...?
National interest is paramount. GOI's duty is to protect it.
Then,
1. Why has Status Quo Ante not been insisted on?
2. Why is China allowed to justify the murder of 20 unarmed jawans in our territory?
3. Why is there no mention of the territorial sovereignty of Galwan valley? pic.twitter.com/tlxhl6IG5B
પોતાના ટ્વિટ દ્વારા રાહુલે ભારત અને ચીનની સરકારના નિવેદનો શેર કર્યા છે. આ પહેલા 4 જુલાઈએ રાહુલે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશભક્તો લદાખી ચીની આક્રમણ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારને તેઓની વાત સાંભળવા કહે છે. તેની ચેતવણીને અવગણવી ભારતને મોંઘી પડી શકે છે.
અજીત ડોભાલે કરી ચીનના વિદેશમંત્રી સાથે વાતચીત
નોંધપાત્ર વાત એ છે કે તણાવ ઓછો થવાના પ્રથમ સંકેત તરીકે, ચીની સેનાએ સોમવારે પૂર્વી લદ્દાખના કેટલાક વિસ્તારોમાંથી પીછેહઠ કરવાની શરૂઆત કરી હતી. એક દિવસ અગાઉ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ટેલિફોન પર વાત કરી હતી, જેમાં તેઓ એલએસીમાંથી સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સંમત થયા હતા.