કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીનાં કેરી ખાનારા નિવેદન પર જણાવ્યું કે, મોદીજી કેરી ખાવાનું શિખવાડ્યું, કુર્તો કાપવાનું શીખવાડ્યું, હવે આપ એ પણ જણાવી દો કે આપે 5 વર્ષમાં દેશનાં બેરોજગાર યુવાઓને માટે શું કર્યું.
મધ્યપ્રદેશનાં નીમચમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રડારવાળા નિવેદન પર મજાક કરતા કહ્યું કે, મોદીજી શું જ્યારે પણ ભારતમાં વરસાદ થાય છે, તોફાન આવે છે, ત્યારે જ તમામ વિમાન રડારથી ગાયબ થઇ જાય છે. આ સિવાય રાહુલે કેરી ખાવાથી લઇને પીએમ મોદીનાં ગઇ વખતનાં નિવેદન પર પણ મજાક કરી.
નીમચની રેલીમાં મંગળવારનાં રોજ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મોદીજીએ બાલાકોટ સ્ટ્રાઇકથી પહેલાં અધિકારીઓ અને એર ચીફને જણાવ્યું કે, ખરાબ વાતાવરણથી ફાયદો થશે કેમ કે રડાર એરક્રાફ્ટને દેખી નહીં શકે. નરેન્દ્ર મોદીજી, જ્યારે પણ ભારતમાં વરસાદ થાય છે, તોફાન આવે છે. તો શું તમામ વિમાન રડારથી ગાયબ થઇ જાય છે.' પીએમ મોદીએ એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બાલાકોટ એર સ્ટ્રાઇક દરમ્યાન વાયુસેનાનાં અધિકારીઓને ખરાબ વાતાવરણ છતાં પણ કાર્યવાહી કરવા માટે કહ્યું કેમ કે ત્યારે રડાર એરક્રાફ્ટને ટ્રેક ન હોતું કરી શકતું.
અમે કેરી ખાવાનું નથી શિખવાડતાઃ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીનાં કેરી ખાવવાનાં નિવેદન પર કહ્યું કે, મોદીજીએ કેરી ખાવાનું શિખવાડી દીધું, કુર્તો કાપાવાનું શીખવાડી દીધું, હવે આપ એ પણ જણાવી દો કે આપે 5 વર્ષમાં દેશનાં બેરોજગાર યુવાઓ માટે શું કર્યુ. રાહુલે કહ્યું કે, જનતા માલિક છે અને અમે શિખવાડતા નથી શિખવાડીએ છીએ. અમે નરેન્દ્ર મોદીની જેમ માલિક નથી, અમે કેરી ખાવાનું નહીં શીખવાડીએ.
પ્રધાનમંત્રી મોદીએ વીતેલા દિવસોમાં અભિનેતા અક્ષયકુમારને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે, તેઓને બાળપણમાં કેરી ખાવાનું પસંદ હતું પરંતુ ગરીબીને કારણથી તેમની માટે આવું કરવું શક્ય ન હોતું. તેઓ સામાન્ય રીતે કોઇનાં બગીચામાંથી કેરી તોડીને ખાઇ લેતા હતાં.