કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારને કહ્યુ કે, ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે કેએલ રાહુલ રહેશે. તેમણે કહ્યુ કે, ટીમમાં એવું જ બેલેન્સ રાખે છે જેવું ૨૦૦૩ના વર્લ્ડકપમાં રાહુલ દ્રવિડે કર્યુ હતુ. રાહુલે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ઘ ગત ૨ મેચોમાં વિકેટની પાછળ સારુ ફોર્મ કર્યુ.
રિષભ પંતની ગેરહાજરીમાં રાહુલે સંભાળી કીપિંગ
૨૦૦૩ વર્લ્ડ કપમાં દ્રવિડે કરી હતી વિકેટકીપિંગ
વિરાટ કોહલીને જ્યારે પૂછવામાં ચોથા ક્રમના ખેલાડી વિશે પૂછવામાં આવ્યુ તો કહ્યુ કે, મારું માનવું છે કે ટીમમાં ખેલાડીઓના સ્થાનને લઇને સ્પષ્ટતા ના હોવાને કારણે ભૂતકાળમાં નુકસાન હતુ. હવે અમે તે વાત સારી રીતે સમજીએ છીએ કે, આજ ક્રમની સાથે થોડા સમય આગળ વધીશું તો નક્કી કરી શકાશે કે શું સાચ્ચુ અને શું ખોટું છે.
કેપ્ટને આગળ કહ્યુ કે, અમે સારી રીતે રમી રહ્યા છીએ, ટીમમાં કોઇ બદલાવ નહી થાય અને અમે સતત ૨ મેચ જીતી છે. આજ કારણે અમે ટીમમાં બદલાવ નહી કરીએ, આ ટીમની સારા માટે નક્કી કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું છે. 287 રનનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ 47.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.
ઓપનર રોહિત શર્માએ કરિયરની 29મી સેન્ચુરી ફટકારતા 128 બોલમાં 8 ફોર અને 6 સિક્સની મદદથી 119 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 57મી ફિફટી મારી હતી. તેણે 91 બોલમાં 8 ફોરની મદદથી 89 રન કર્યા હતા. કોહલી રનચેઝમાં 7૦૦૦ રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો પ્લેયર બન્યો છે. તેંડુલકરે આ માટે 180 ઇનિંગ્સ લીધી હતી, જયારે ઇન્ડિયન કેપ્ટને 133 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.