કોંગ્રેસ નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી બુધવારે મોડી રાતે લખીમપુરના તિકુનિયા ગામમાં પહોંચીને પીડિત પરિવારોને મળ્યાં હતા.
ખેડૂતોને મળવા તિકુનીયા પહોંચ્યા રાહુલ અને પ્રિયંકા
બુધવારે રાતના લખીમપુરના તિકુનીયા પહોંચ્યા
રાહુલ-પ્રિયંકાના કાફલામાં 17 ગાડીઓને મંજૂરી અપાઈ
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હિંસાના પીડિત પરિવાર સાથે મુલાકાત, પ્રિયંકાએ કહ્યું પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ, હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ?
રાહુલ લખનઉમાંથી નીકળ્યા બાદ સીધા સીતાપુર ગેસ્ટહાઉસ પહોંચીને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. તેઓ લગભગ અડધો કલાક અહીં રોકાયા હતા ત્યાર બાદ બન્ને ભાઈ-બહેન ખેડૂતોને મળવા લખીમપુર રવાના થયા હતા. બીજી તરફ મોરાદાબાદમાં કોંગ્રેસ નેતા સચીન પાયલટ અને પ્રમોદ કૃષ્ણમને સર્કિટ હાઉસમાં પોલીસની અટકાયતામાં રાખવામાં આવ્યાં હતા. બન્ને નેતાઓ જમીન માર્ગે લખીમપુર જવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.
રાહુલ-પ્રિયંકાના કાફલામાં 17 ગાડીઓને મંજૂરી
વહિવટી તંત્ર દ્વારા રાહુલ-પ્રિયંકાના કાફલામાં 17 ગાડીઓને મંજૂરી આપવામાં આવી છે. રાહુલ-પ્રિયંકાની સાથે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની અને છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ પણ હાજર હતા. લખીમપુર ખીરી હિંસા મામલે રાજકીય ઘમાસાણ મચ્યું છે. લખીમપુર જતા અટકાવાતા રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટની બહાર ધરણા પર બેસી ગયા હતા.
લખનઉ પોલીસ તેમને પોતાની ગાડીમાં બેસાડીને લખીમપુર લઈ જવા માગતી હતી પરંતુ રાહુલે પોલીસની ગાડીમાં બેસવાનો ધરાર ઈન્કાર કરીને ફક્ત પોતાની ગાડીમાં જ જવાનો આગ્રહ રાખતા મામલો વણસ્યો હતો. પોલીસની આ માગ ફગાવતા રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટની બહાર નેતાઓ સાથે ધરણા પર બેસી ગયા હતા.
સરકારની દાદાગીરી - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમને જવા દેવામાં નહીં આવે તો તેઓ એરપોર્ટપરથી ધરણામાંથી ખસી જશે નહીં. પછી તે એક દિવસ હોય, બે દિવસ હોય, 15 દિવસ હોય. રાહુલે કહ્યું, 'સરકાર થોડી દાદાગીરી કરવા માંગે છે, મને ખબર નથી કે શું પરંતુ તેમની પાસે કેટલીક યોજનાઓ છે. તેઓ મને કેદીની જેમ પોલીસની કારમાં લઈ જવા માંગે છે.
રાહુલ કહ્યું પોલીસની કાર પાસે નહીં જાય
રાહુલે કહ્યું, "અમારે અમારી કારમાં લખીમપુર ખેરી જવું પડશે. તેઓ ઇચ્છે છે કે અમે તેમની કારમાં તેમની સાથે જઈએ. હું દેશનો નાગરિક છું. પહેલા તેણે કહ્યું કે તમે તમારી કારમાં જઈ શકો છો, હવે તે કહી રહ્યો છે કે તમે પોલીસની કારમાં જશો.