કેન્દ્ર સરકાર દ્વારા નાની બચત યોજનાઓના વ્યાજદર ઘટાડવાનો નિર્ણય પરત લઈ લીધો છે ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.
સરકારે એક જ દિવસમાં બદલ્યો પોતાનો નિર્ણય
વ્યાજદરો ઘટાડવાનો નિર્ણય પરત લીધો
રાહુલ અને પ્રિયંકા ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન
વ્યાજદરો મુદ્દે સરકાર ઘેરાણી
કેન્દ્રની મોદી સરકારે એપ્રિલ- જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં નાની બચત પર વ્યાજ દર ઘટાડવાના નિર્ણયને એક જ રાતમાં પરત લઈ લીધો છે. દેશના નાણામંત્રીએ આ મુદ્દે સવારે ટ્વિટ કરીને જાણકારી આપી કે ગઇકાલે લેવાયેલ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં. સીતારમણે સ્વીકાર્યું કે આ નિર્ણય ભૂલથી લેવામાં આવ્યો હતો. સરકારના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. વિપક્ષ પણ આ મુદ્દે સરકાર સામે નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું ચૂંટણી ખતમ થતા જ લૂંટશે સરકાર
રાહુલ ગાંધીએ આ મુદ્દે સવાલ ઉઠાવતા કહ્યું છે કે પેટ્રોલ ડીઝલ પર તો પહેલા જ લૂંટ કરવામાં આવી રહી છે. ચૂંટણી ખતમ થતાં જ ફરીથી વ્યાજદર ઓછા કરીને તેમાં પણ લૂંટ કરવામાં આવશે.
પ્રિયંકા ગાંધીએ પણ પૂછ્યો સવાલ
પ્રિયંકા ગાંધીએ સરકાર સામે સવાલ કર્યા કે સરકારે સામાન્ય પ્રજાની નાની બચત મૂડીના વ્યાજમાં કાપ મૂક્યો પછી સવારે સરકાર જાગી તો ભાન પડ્યું કે આ તો ચૂંટણીનો સમય છે. સવારે ઉઠતાં જ વાંક ઓવરસાઇટ પર નાંખી દેવામાં આવ્યો.
શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે માર્ચની આખર તારીખે આર્થિક મામલાના વિભાગ દ્વારા ઓછા વર્ષ સુધીની જમા બચતો પર વ્યાજ ઘટાડી દેવામાં આવ્યા હતા. આ સિવાય PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના પર પણ વ્યાજદર ઘટાડી દેવામાં આવ્યા હતા. જોકે સવાર પડતાં જ સરકારે આ મુદ્દે યુટર્ન લઈ લીધો. નાણામંત્રી સીતારમણે સવારે ટ્વિટ કરીને કહ્યું કે ભારત સરકારે લઘુ બચત યોજનાઓના જૂના વ્યાજદરો પર જ કાયમ રહેશે. ઓવરસાઇટના કારણે આ આદેશ પરત લેવામાં આવશે.