કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તરફથી એકવાર ફરી મોદી સરકાર પર નિશાન તાકવામાં આવ્યું છે.
દિલ્હીની અલગ-અલગ સરહદો પર ખેડૂતોનું આંદોલન છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે. ગણતંત્ર દિવસે થયેલી હિંસા પછી હવે સરકાર તરફથી કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે.
દિલ્હીની સરહદ પર પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને રોકવા માટે અભૂતપૂર્વ ગોઠવણ કરવામાં આવી છે. હવે આ મુદ્દાઓ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા તરફથી સરકાર પર નિશાન તાકવામાં આવ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીની સરહદ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓના ફોટા શેર કર્યા, આ સાથે રાહુલ ગાંધીએ લખ્યું કે ભારત સરકાર, પુલ બનાવે-દીવાલ નહીં. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધીએ પણ એક વીડિયો ટ્વિટ કર્યો. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે પ્રધાનમંત્રી જી, આપણા ખેડૂતો સાથે યુદ્ધ?
ઉલ્લેખનીય છે કે ગણતંત્રના દિવસે થયેલી હિંસા પછી ખેડૂતોના પ્રદર્શનસ્થળ પર સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોએ એકવાર ફરી 6 ફેબ્રુઆરીના રોજ ચક્કાજામ કરવાની વાત કરી છે.
જેને લઇને દિલ્હીપોલીસ તરફથી ગાઝીપુર બોર્ડર, ટિકરી બોર્ડર અને સિંધુ બોર્ડર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહી સરહદો પર બેરિકોડ ગોઠવવામાં આવ્યાં છે. સિમેંટના મોટા-મોટા બેરિકેડ બનાવી દેવામાં આવ્યાં છે. રોડમાં કાંટાની વાડ તૈયાર કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો ટ્રેકટરને લઇને આવી ના શકે.