આગ્રાના જરારમાં સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફતેહપુરા સીકરીથી પ્રત્યાશી રાજ બબ્બરના સમર્થનમાં જનસભા સંબોધિત કરી. એમાં પ્રિયંકાએ એક બાજુ રાષ્ટ્રબાદને લઇને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા. તો રાહુલે નોટબંધી અને ખેડૂતોના મુદ્દા પર નરેન્દ્ર મોદીનો ઘેરાવો કર્યો.
ભાજપ પર નિશાન સાધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એ ખુદને રાષ્ટ્રવાદી કહે છે. જો તમે રાષ્ટ્રવાદી છે, તો દેશના તમામ શહીદોનું સમ્માન કરો. જો તમે રાષ્ટ્રવાદી છો, ચૂંટણી વખતે પાકિસ્તાનની નહીં હિંદુસ્તાનની વાત કરો. યુવા, ખેડૂત અને જવાનની વાત કરો.
પ્રિયંકાના ખેડૂતોના મુદ્દા પર પીએમ મોદીને ઘેર્યા. એમને કહ્યું કે જો તમે રાષ્ટ્રવાદી છે, તો ખુલ્લા પગે ચાલીને તમારા દરવાજા સુધી આવનારા ખેડૂતોને કેમ ના મળ્યા.