રાહુલ ગાંધીએ પીલીબંગામાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરતા જણાવ્યું કે હું આજે તમને સમજાવીશ કે મોદી 3 કાયદા કેમ લાવ્યાં છે,
રાહુલે કહ્યું કે પહેલા કાયદાનો હેતુ મંડી સિસ્ટમને ખતમ કરી નાખવાનો છે
બીજા કાયદો કોઈ પણ ઉદ્યોગપતિને દેશમાં શેરડીની ખરીદી કરીને સ્ટોક કરવાની તક પૂરી પાડે છે
આ કાયદા લાગુ પડ્યો તો જમાખોરી શરુ થઈ જશે
રાહુલ ગાંધીએ પીલીબંગામાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરતા જણાવ્યું કે હું આજે તમને સમજાવીશ કે મોદી 3 કાયદા કેમ લાવ્યાં છે, રાહુલ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે જો આ 3 કાયદા લાગુ પડશે તો ખેડૂતો તો કામથી જશે પરંતુ સાથે સાથે નાના વેપારીઓ પણ ખતમ થઈ જશે, ભારતના 40 ટકા લોકો બેરોજગાર થઈ જશે.
પહેલા કાયદાનો હેતુ મંડી સિસ્ટમને ખતમ કરી નાખવાનો છે
રાહુલે કહ્યું કે પહેલા કાયદાનો હેતુ મંડી સિસ્ટમને ખતમ કરી નાખવાનો છે. બીજા કાયદો કોઈ પણ ઉદ્યોગપતિને દેશમાં શેરડીની ખરીદી કરીને સ્ટોક કરવાની તક પૂરી પાડે છે. આ કાયદા લાગુ પડ્યો તો જમાખોરી શરુ થઈ જશે. જો એક જ કંપની દેશના તમામ ફળ અને શાકભાજી વેચશે તો નાના વેપારીઓનું શું થશે.
ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી આજથી બે દિવસની રાજસ્થાનની મુલાકાત જઇ રહ્યાં છે. ત્યારે તે અગાઉ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું. જેમાં ચીનને લઇને રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યાં છે.
ભારત માતાનો ટુકડો ચીનને આપી દીધો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનની સેના પેંગોંગ, દેપસાંગમાં હાજર હતી. આપણી સેનાએ જોખમ લીધુ અને ચીનનો મુકાબલો કર્યો. પરંતુ હવે પીએમ મોદીએ ચીનને આપણી જીમની સોંપી દીધી, આ કાંઇન હીં પણ એ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી ડરપોક છે અને દેશની સેના સાથે છેતરપિંડી કરી રહ્યાં છે.