રાહુને માયાવી અને પાપી ગ્રહ કહેવામાં આવ્યો છે. શનિની જેમ કુંડળીમાં રાહુની સ્થિતિ પણ ખૂબ મહત્વ ધરાવે છે. 2023માં થતો રાહુ ગોચર ત્રણ રાશિના જાતકોને ખૂબ શુભ ફળ આપશે.
2023માં આ રાશિઓ પર મહેરબાન થશે 'રાહુ'
રાહુ અને કેતુ ગ્રહ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે
આ બંને ગ્રહને માયાવી ગ્રહ માનવામાં આવે છે
રાહુ ગોચર શનિ ગોચરની જેમ છે ખૂબ મહત્વપૂર્ણ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને કેતુ ગ્રહ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ બંને ગ્રહ હંમેશા વક્રી ચાલ ચાલે છે અને તેમને માયાવી ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2022માં રાહુ અને કેતુ ગ્રહે રાશિ ગોચર કર્યુ હતુ અને આવતા વર્ષે એટલેકે 2023માં પણ રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. રાહુ ગોચરને શનિ ગોચરની જેમ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે કારણકે તેની જીવન પર મોટી શુભ-અશુભ અસર પડે છે. આ સમયે રાહુ મેષ રાશિમાં છે. જ્યોતિષ ગણતરી મુજબ, રાહુ 30 ઓક્ટોબર 30 ઓક્ટોબર 2023થી બપોરે 12 કલાકે ને 30 મિનિટે વક્રી ચાલ ચાલીને મેષ રાશિમાંથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ વર્ષ 2023નો આ રાહુ ગોચર કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે.
રાહુ ગોચર 2023 ચમકાવશે આ રાશિના જાતકોનુ ભાગ્ય
મેષ રાશિ
રાહુ ગોચર આ રાશિના જાતકોને વધુ ધનલાભ કરાવશે. આવકમાં ખાસ્સો વધારો થઇ શકે છે. કુલ મળીને રાહુનો ગોચર કાલે તમારી આર્થિક સ્થિતિને સતત મજબૂત બનાવશે. નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગને ખૂબ લાભ થશે. તમારું સન્માન વધશે.
કર્ક રાશિ
રાહુનુ રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકોને કારકિર્દીમાં મોટી પ્રગતિ કરાવશે. તેમને પદોન્નતિ મળી શકે છે. વેપારીઓ માટે તો આ સમય વધુ ફળદાયી રહેશે. નવો બિઝનેસ શરૂ કરી શકો છો. નવુ ઘર-કાર ખરીદવાના પ્રબળ યોગ છે. અટકેલા કામ પૂરા થશે. જો કે, આ દરમ્યાન ધૈર્ય અને સમજદારીથી કામકાજ લેજો. નહીંતર રાહુ નુકસાન પણ કરાવી શકે છે.
મીન રાશિ
રાહુ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે અને તેની સૌથી વધુ અસર આ રાશિના જાતકોને થશે. રાહુ મીન રાશિના જાતકોને ખૂબ ધન-દોલત આપશે. તેમની આવક વધશે. આ સાથે અણધાર્યા સ્ત્રોતમાંથી પણ પૈસા મળશે. આ સમયે રોકાણ કરશો તો પણ લાભ થશે. કારકિર્દીમાં મોટી સિદ્ધી મળવાના સંપૂર્ણ યોગ છે.