23 સપ્ટેમ્બર 2020ના રોજ એટલે કે આજથી 2 દિવસ બાદ રાહુ અને કેતુનો ગોચર શક્ય બની રહ્યો છે. આ દિવસે રાહુ વક્રી થઈને મિથુનથી વૃષભ રાશિમાં પરિવર્તન કરશે. સાથે કેતુ ધનથી વૃશ્વિક રાશિમાં પરિવર્તન પામશે. રાહુ સવારે 5.28 મિનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ સવારે 7.38 મિનિટે વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. આ બંને રાશિમાં આ ગ્રહ 12 એપ્રિલ સુધી રહેશે. રાહુ અને કેતુનો ગોચર વ્યક્તિને ખૂબ જ પ્રભાવિત કરે છે. તો જાણો કઈ 4 રાશિને માટે આ ગોચર મુશ્કેલીભર્યો સાબિત થશે.
રાહુ અને કેતુનું થશે રાશિ પરિવર્તન
4 રાશિને માટે આ ગોચર રહેશે મુશ્કેલીભર્યો
23 સપ્ટેમ્બરે સવારે થશે આ બંને ગ્રહોનો ગોચર
વૃષભ
રાહુનું આ રાશિમાં પરિવર્તન થવાના કારણે આ રાશિના જાતકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે શક્ય છે. આ સમય ખર્ચદાયક રહેશે. ઓફિસનો માહોલ તમારા માટે સાનૂકૂળ રહેશે નહીં. પરિવારમાં પણ ક્લેશ થઈ શકે છે.
મિથુન
મિથુન રાશિના બારમા ભાવમાં રાહુ ગોચર કરી રહ્યો છે. એવામાં હતાશા, ચિંતા અને અનિશ્ચિતતા આવી શકે છે. કારોબારમાં નુકસાન થઈ શકે છે. કેતુના કારણે મુશ્કેલીઓ વધી શકે છે. ધન હાનિ અને વૃદ્ધોની હેલ્થને લઈને સચેત રહેવાની જરૂર છે. વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડે તે શક્ય છે.
વૃશ્વિક
આ રાશિના જાતકોને પરિવારિક સમસ્યા મુશ્કેલીમાં મૂકી શકે છે. જીવનસાથી સાથે મુશ્કેલી આવી શકે છે. સાથે જ અકારણ ચિંતામાં વધારો થઈ શકે છે. કેતુનો ગોચર આ રાશિમાં રહેવાના કારણે શક્ય છે કે તમે તમારા લક્ષ્યથી ભટકી જાઓ.
કુંભ
રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન દામ્પત્ય જીવનમાં કડવાશ લાવશે. પરંતુ સંયમ રાખવો પણ જરૂરી છે. સંયમથી કષ્ટમાંથી જલ્દી મુક્તિ મળશે. આ સમયે તમારી હેલ્થ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે કોઈ નવું રોકાણ ન કરો તે યોગ્ય છે.