રાહુ અને કેતુ ઓક્ટોબરમાં રાશિ પરિવર્તન કરશે, જેના કારણે આ ચાર રાશિના જાતકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
રાહુ અને કેતુ કરશે રાશિ પરિવર્તન.
આ ચાર રાશિના જાતકો મુકાશે મુશ્કેલીમાં.
રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને અશુભ ગ્રહ ગણવામાં આવે છે. રાહુ અને કેતુના રાશિ પરિવર્તનના કારણે તમામ રાશિના જાતકોએ અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગ્રહો હંમેશા ખોટી દિશામાં વિચરણ કરતા હોવાથી આ ગ્રહને પાપ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાહુ અને કેતુ ઓક્ટોબર માસમાં ગોચર કરશે, જેના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. રાહુ અને કેતુના ગોચરથી કઈ રાશિના જાતકોએ સમસ્યાનો સામનો કરવો પડશે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
રાહુ અને કેતુનું ગોચર
જ્યોતિષ પંચાંગ અનુસાર રાહુ 30 ઓક્ટોબર 2023ના રોજ સોમવારે રાત્રે 12:03 વાગ્યે રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે અને તે જ દિવસે કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. રાહુ અને કેતુના ગોચરને કારણે ચાર રાશિ પર ખૂબ જ ગંભીર અસર થશે. આ ચાર રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
મેષ:
રાહુ અને કેતુના ગોચરના કારણે મેષ રાશિના જાતકો પર અશુભ અસર થશે. આ દરમિયાન મેષ રાશિના જાતકોએ આર્થિક પરેશાનીનો સામનો કરવો પડશે અને તણાવની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. પરિવાર અથવા જીવનસાથી સાથે વિવાદ પણ વધી શકે છે.
વૃષભ:
રાહુ અને કેતુના ગોચરથી વૃષભ રાશિના જાતકોએ પરેશાનીનો સામનો કરવો પડશે, આ કારણોસર આ રાશિના જાતકોએ સતર્ક રહેવાની જરૂર છે. આ દરમિયાન આર્થિક અને શારીરિક પરેશાની વધી શકે છે. ઘરમાં અશાંત વાતાવરણ ઊભું થશે.
કન્યા:
કેતુ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે કન્યા રાશિના જાતકોએ તમામ ક્ષેત્રે સમસ્યાઓનો સામનો કરવો પડશે. નોકરી, વેપાર અને આર્થિક ક્ષેત્રે પણ સમસ્યાઓ આવી શકે છે, આ કારણોસર સાવધાની રાખવાની જરૂર છે.
મીન:
30 ઓક્ટોબરના દિવસે રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ પરિસ્થિતિમાં મીન રાશિના જાતકોએ વધુ સાવધાની રાખવી પડશે. આ દરમિયાન દેવા સંબંધિત સમસ્યાઓ ઊભી થશે અને આર્થિક ક્ષેત્રે બોજ વધી શકે છે.