વર્તમાનમાં બિહારમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અફઘાનિસ્તાનના મ્યુઝીયમમાં મુકાયેલ ભગવાન બુદ્ધનું પાત્ર પણ ફરી ચર્ચામાં આવી ગયું.
વૈશાલીના લોકોએ આ પાત્ર બુદ્ધને ભેટ આપ્યા હોવાની દંતકથા
વિવિધ ઈતિહાસકારોએ કર્યો છે તેનો ઉલ્લેખ
ફરીથી આ પાત્રને પાછું લાવવા ઉઠી માંગ
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહે કરી રહ્યા છે માંગણી
વૈશાલીમાં લોકો દ્વારા મહાત્મા ગૌતમ બુદ્ધને ભેટમાં આપવામાં આવેલ ભિક્ષાપાત્ર અફઘાનિસ્તાનનાં કાબુલ સ્થિત મ્યૂઝીયમમાં મુકવામાં આવેલ છે. હવે તેને પાછુ લાવવા માટેની ચર્ચાએ જોર પકડ્યું છે. એમ્સમાં દાખલ પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહે સીએમ નીતીશ કુમારથી તેને પાછું લાવવા માંગ કરી છે. સંસદથી લઈને સરકારના વિભિન્ન સ્તરો પર તેમણે આ મુદ્દાને પહેલા પણ ઉઠાવ્યો હતો અને માંગ કરી હતી કે વૈશાલી અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓની ઈચ્છા માટે સરકાર પ્રયત્નો કરે.
શું છે ખાસ આ પાત્રમાં ?
સર એલેકઝાન્ડર કન્નીન્ઘમની વર્ષ 1883માં લખાયેલ એક પુસ્તકમાં તેનો ઉલ્લેખ છે, આ પુસ્તકમાં લખ્યું છે કે બુદ્ધના ભિક્ષા પાત્ર જેવું જ પાત્ર કાબુલમાં છે. આ પવિત્ર ભિક્ષાપાત્રની ઉંચાઈ ચાર મીટર, વજન સાડા ત્રણ શોથી ચારસો કિલો છે.
વૈશાલીના લોકોએ આપ્યું હતું આ પાત્ર
બે વર્ષ પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું એક દળ કાબુલ જઈ આવ્યું છે. આ દળમાં ઘણા મહત્વના લોકો સામેલ હતા અને માનવામાં આવે છે કે કુશીનગરમાં મહાપરીનિર્વાણ પહેલા ભગવાન બુદ્ધને વૈશાલીના લોકોએ આ ભિક્ષાપાત્ર દાન આપ્યું હતું.
વર્તમાનમાં કાબુલના મ્યુઝીયમમાં
ઐતિહાસિક તથ્યો અનુસાર બીજી સદીમાં જ રાજા કનિષ્ક આ પાત્રને પુરષપુર લઇ ગયા અને તે બાદ તેને ગાંધાર એટલે કંધાર લઇ જવામાં આવ્યું. 20મી સદીમાં આ પાત્ર કાબુલના મ્યુઝીયમમાં પહોંચી ગયું.
રઘુવંશ પ્રસાદ સિંહ અનુસાર સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે જ્યાં સુધી તેના પૂરાવા ન મળે ત્યાં સુધી તે વિશે કોઈ નિષ્કર્ષ કાઢી શકાય નહીં. વૈશાલીના પૂર્વ સાંસદે કહ્યું હતું કે ફાહ્યાન, હ્વેનસંગ, રોમીલા થાપર જેવા વિદ્વાનોના પોસ્ટકોમાં મહાત્મા બુદ્ધના આ પાત્રનો ઉલ્લેખ છે.