RBIનાં પૂર્વ ગર્વનર રઘુરામ રાજન રાહુલ ગાંધીનાં બચાવમાં ઊતર્યાં છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પપ્પૂ નથી, સ્માર્ટ છે...
RBIનાં પૂર્વ ગર્વનર રઘુરામ રાજને રાહુલ ગાંધીનો કર્યો બચાવ
કહ્યું કે રાહુલ ગાંધી પપ્પૂ નથી, સ્માર્ટ છે
ભારત જોડો યાત્રાના પણ સમર્થનમાં રઘુરામ
ભારતીય રિઝર્વ બેન્કનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર રાહુલ ગાંધીનો સાથ આપ્યો છે. રઘુરામે રાહુલનાં બચાવમાં કહ્યું કે રાહુલ ગાંધી સ્માર્ટ વ્યક્તિ છે, પપ્પૂ નથી. રઘુરામ રાજસ્થાનમાંથી પસાર થયેલી ભારત જોડો યાત્રામાં પણ શામેલ થયાં હતાં. તેમણે પૂર્વ કોંગ્રેસ પ્રમુખની પપ્પૂની ઈમેજને દુર્ભાગ્યપૂર્ણ કહી છે.
'રાહુલની ઈમેજ દુર્ભાગ્યપૂર્ણ છે'
એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે 'તેમને લાગે છે કે રાહુલની ઈમેજ દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ કોઈપણ પ્રકારે પપ્પૂ નથી, તે એક સ્માર્ટ, યુવા, જિજ્ઞાસુ વ્યક્તિ છે. પ્રાથમિકતાઓ શું છે, રિસ્ક અને તેનું મૂલ્યાંકન કરવાની ક્ષમતાની સારી સમજ હોવું ઘણું જરૂરી છે અને રાહુલ આ તમામ બાબતોમાં સક્ષમ છે.'
કેન્દ્રને લઈને શું બોલ્યાં રાજન
રઘુરામ રાજને કહ્યું કે રાહુલ ગાંધીની સાથે તેઓ ભારત જોડો યાત્રામાં એટલા માટે જોડાયા કારણકે તેઓ આ યાત્રાનાં મૂલ્યોની સાથે ઊભા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્રની આર્થિક નીતિઓની આલોચના પર રઘુરામ રાજને કહ્યું કે તેઓ મનમોહનસિંહનાં નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારનાં પણ આલોચક હતાં અને ચૂંટણીની રાજનીતિમાં તેમના પ્રવેશનો સ્પષ્ટ વિરોધ પણ તેઓ કરતાં હતાં.
તેઓ યાત્રાના મૂલ્યોનું સમર્થન કરે છે
રઘુરામે સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તેઓ ભારત જોડો યાત્રામાં શામેલ એટલા માટે થયાં છે કારણકે તેઓ યાત્રાના મૂલ્યોનું સમર્થન કરે છે. તે કોઈ રાજનૈતિક દળમાં શામેલ થવાનાં ઉદેશ્યથી તો બિલકુલ જોડાયા નહોતાં.