કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ડગમગેલા અર્થતંત્રને વેગ આપવા માટે મોદી સરકારે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતને 20 દિવસથી વધુ સમય વીતી ચુક્યો છે. સરકારની આ ઘોષણાથી લોકોને કેટલી રાહત મળશે તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન કહે છે કે સરકાર પેકેજની ઘોષણા કર્યા પછી બેસી રહે એવું નહીં ચાલે. તે એમ કહી શકે નહીં કે તેણે પોતાનું કામ કરી દીધું છે. રાજને કહ્યું કે સરકારે એ જોવું પડશે કે લોકોની જરૂરિયાતો પૂરી થાય છે કે નહીં.
રઘુરામ રાજને કહ્યું કે માત્ર જાહેરાત કરવાથી કામ પૂર્ણ નહીં થઇ જાય. તે જોવું પડશે કે તેઓની યોજનાઓ કામ કરે છે કે નહીં. જો કામ ન કરે તો જરૂરિયાતોને પહોંચી વળવા ફેરફારો કરવા પડશે. રઘુરામ રાજને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ મંદી આખા વિશ્વ માટેની છે. આમાંથી બહાર નીકળવામાં કેટલો સમય લાગશે તે કહેવું મુશ્કેલ હશે.
આ વર્ષ ભારતના અર્થતંત્ર માટે ખરાબ રહ્યું છે
રાજને કહ્યું કે આજે અમેરિકામાં રોજગારના આંકડા આવ્યા છે. લોકોની અપેક્ષા કરતાં તે વધુ રહ્યા છે. આનો અર્થ એ છે કે જ્યારે ઉદ્યોગ ધંધા ખુલે છો, ત્યારે તે તમને અર્થતંત્ર રિકવર કરવામાં મદદ કરે છે. રઘુરામ રાજને કહ્યું કે આ વર્ષ ભારતના અર્થતંત્ર માટે ખરાબ રહ્યું છે. આપણે અત્યારે ગ્રોથ વિશે વિચારવું ન જોઈએ. તે નેગેટિવ રહેવાનો છે. ભારતની અર્થવ્યવસ્થા કેટલી ઝડપથી પાટા પર આવશે તે અંગે તેમણે કહ્યું હતું કે અર્થતંત્રને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેના પર આ નિર્ભર છે.
ફાઇનાન્શ્યલ સેક્ટરમાં થયું છે વધુ નુકશાન
રઘુરામ રાજને કહ્યું કે અમે વાયરસને ફેલાતા અટકાવવા માટે પહેલું પગલું જ ભર્યું નહીં. હાઉસહોલ્ડ અને નાના ઉદ્યોગોને થતા નુકસાનને ઓછું કરવા પગલાં લેવા જરૂરી હતા. નાણાકીય ક્ષેત્રે ઘણું નુકસાન કર્યું છે. સરકારે તેના પર કામ કરવું પડશે જેથી તે ફરીથી ગતિ પકડી શકે. અત્યાર સુધી જે કરવામાં આવ્યું છે તેના કરતાં સરકારે ઘણું વધારે કરવું પડશે.
એલાન કર્યા પછી બેસી નહીં રહેવાય
ભૂતપૂર્વ RBI ગવર્નરે કહ્યું કે સરકાર જાહેરાત કર્યા પછી બેસી નહીં રહી શકે. તેની ગ્રાઉન્ડ લેવલ ઉપર શું અસર થાય છે તેના આધારે પગલાં લેવા જોઈએ. સરકારે ગરીબો માટે રેશનની જાહેરાત કરી હતી, શું તે લોકો સુધી પહોંચી રહી છે. શું લોકો તેનાથી સંતુષ્ટ છે? અથવા તમારે વધુ કામ કરવાની જરૂર છે. તમે લોકોને વાયરસ અથવા ભૂખમરોથી મરી જવાનો વિકલ્પ આપી શકતા નથી. આને ટાળવું જરૂરી છે.
રાજને કહ્યું કે સરકારે 3 લાખ કરોડની લોન આપવાની જાહેરાત કરી છે. શું બેંકો લોન આપવા તૈયાર છે? ફક્ત ઘોષણા કરવાથી ચાલે નહીં. તે જોવું રહ્યું કે તે કામ કરે છે કે નહીં.