નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શુક્રવારે કહ્યું કે ચૂંટણી વાયદાઓમાં ખેડૂતોની દેવામાફીની જાહેરાત ન કરવી જોઇએ. રાજને કહ્યું કે તેમણે આ વીશે ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું કે આવા મુદ્દાઓ ચૂંટણી વાયદાઓમાં સામેલ ન થવા જોઇએ. રઘુરામ રાજને કહ્યું કે કૃષિ ઋણ માફીથી ન માત્ર કૃષિ ક્ષેત્રમાં રોકાણને નુકસાન પહોંચે છે પરંતુ આવુ કરનારા રાજ્યની અર્થવ્યવસ્થા પર પણ દબાણ આવે છે.
ગત પાંચ વર્ષોમાં જે જે રાજ્યોમાં ચૂંટણી થઇ છે કોઇને કોઇ પાર્ટી દ્વારા ખેડૂતોની દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં જે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યાં પણ કેટલીક પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોની દેવા માફી અને કઠોળના લઘુતમ ટેકાના ભાવમાં વધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે હું આ વાત હંમેશાથી કહેતો આવી રહ્યો છું કે ત્યાં સુધી કે ચૂંટણી પંચને આ વીશે મેં પત્ર પણ લખ્યો છે. મારા કહેવાનો મતલબ છે કે કૃષિ ક્ષેત્રથી સંકટના કારણો વીશે વિચારવું ખુબ જ જરૂરી છે પરંતુ સવાલ અહીં થાય છે કે ખેડૂતોની દેવા માફીથી શું તેમનું ભલું થવાનું છે? કારણ કે ખેડૂતોનો એક નાનો સમૂહ જ આ પ્રકારનું દેવું લે છે.
એન ઇકોનોમિક્સ સ્ટ્રેટેજી ફોર ઇન્ડિયા નામનો રિપોર્ટ રજૂ કરતા રાજને કહ્યું કે ખેડૂતોની દેવા માફીનો લાભ ઉચ્ચ લાયકાત વાળા લોકોને જ મળી છે ન કે કોઇ ગરીબ ખેડૂતને. બીજી વાત ખેડૂતોની દેવા માફી રાજ્યોની અર્થવ્યવસ્થાઓ માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે અને તેનાથી કૃષિ ક્ષેત્રમાં રોકાણ પર પણ કેટલીક અસર પડે છે.
તેમણે કહ્યું કે આપણે એક એવો માહોલ બનાવવો જરૂરી છે જેમાં ખેડૂતો એક વાઇબ્રન્ટ ફોર્સ થઇ શકે છે અને તેના માટે વધુમાં વધુ સંસાધનો જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આના પર તમામ પક્ષો દ્વારા સહમતિ મળવાથી આ રાષ્ટ્રહિતમાં હશે.