દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) માં લેફ્ટનું સમર્થન કરતા વિદ્યાર્થીઓ સાથે મારપીટનો મામલો ચર્ચામાં છે. વિપક્ષી પાર્ટીઓના નેતા આ મામલામાં નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. કેટલાક બોલીવુડ સ્ટાર પણ વિદ્યાર્થીઓનું સમર્થન કરી રહ્યા છે.
દીપિકા ઉપરાંત અન્ય બોલીવુડ સેલિબ્રિટીએ પણ JNU વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું
રઘુરામ રાજને કહ્યું, આજે ભારતમાં અલગ-અલગ સમુદાયોના યુવા એક સાથે માર્ચ કરી રહ્યા છે
પોતાના ફાયદા માટે તૈયાર કરાયેલ વિભાજન યુવાઓ અસ્વીકાર કરી રહ્યા છે : રઘુરામ રાજન
અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, જોયા અખ્તર, રાહુલ બોઝ સહિત કેટલાય ફિલ્મ સ્ટાર વિરોધ પ્રદર્શનમાં ઉતરીને વિદ્યાર્થીઓ સાથે મારપીટની નિંદા કરી હતી. બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone) પીડિત વિદ્યાર્થીઓને મળવા માટે જેએનયુ (JNU) પહોંચી હતી. તેઓએ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આયશી ઘોષ (Aishe Ghose) સાથે મુલાકાત કરી અને તેમના જુસ્સાને બિરદાવ્યો. જોકે, દીપિકા પાદુકોણ બીજેપીના નિશાન પર આવી ગઇ.
બીજેપી (BJP) નેતાઓએ એક્ટ્રેસની વિરુદ્ધ મોરચો ખોલી દીધો અને તેમણે સોશિયલ મીડિયા પર તેઓની ફિલ્મ 'છપાક' નો બોયકોટ કરવા લાગ્યા. ત્યારે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Raghuram Rajan) એ દીપિકા પાદુકોણનું સમર્થન કર્યું છે.
રઘુરામ રાજને પોતાના બ્લોગમાં દીપિકા પાદુકોણનું નામ લખ્યા વગર લખ્યું, 'જ્યારે એક એક્ટ્રેસ પોતાની ફિલ્મને જોખમમાં નાંખીને જેએનયુ (JNU) પીડિતોથી મુલાકાત કરી વિરોધ નોંધાવે છે તો તેઓ આપણાને આ બાબતે પ્રેરણા આપે છે કે દાવ પર શું લાગ્યું છે. તેઓએ બતાવ્યું કે, સત્ય અને ન્યાય માત્ર મોટા-મોટા શબ્દ નથી પરંતુ એવા આદર્શ છે જેમના માટે ત્યાગ આપી શકાય છે.'
તેઓએ આગળ લખ્યું, 'આજે ભારતમાં અલગ-અલગ સમુદાયોના યુવા એક સાથે માર્ચ કરી રહ્યા છે. હિન્દુ અને મુસ્લિમ હાથમાં હાથ નાંખી એક સાથે તિરંગાની સાથે ચાલી રહ્યા છે અને તે વિભાજનને અસ્વીકાર કરી રહ્યા છે જે રાજનેતાઓએ પોતાના ફાયદાઓ માટે તૈયાર કર્યું છે. તેમણે બતાવ્યું છે કે, બંધારણ સૌથી ઉપર છે અને તેનાથી ઉપર કોઇ નહીં.'
રઘુરામ રાજને ચૂંટણી પંચના અધિકારી અશોક લવાસાનું નામ લીધા વગર લખ્યું છે, 'જ્યારે એક ચૂંટણી કમિશનર પોતાના અને પોતાના પરિવારના ઉત્પીડન છતા સત્યની રાહ પર ચાલવાનું જારી રાખે છે, તો તેનાથી જાણવા મળે છે કે આજે પણ કેટલાક લોકો સત્ય, સ્વતંત્રતા અને ન્યાય માટે ન માત્ર મોટી-મોટી વાત કરે છે પરંતુ મુળ આદર્શો માટે ત્યાગ પણ કરે છે.' પોતાના બ્લોગમાં તેઓએ નામ લીધા વિના કેટલાક બ્યૂરોક્રેટ્સ જેમણે રાજીનામુ આપ્યું છે અને સત્ય બતાવવાનાર મીડિયાકર્મીઓની પણ પ્રશંસા કરી છે.