રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર રધુરામ રાજને ખેડૂતોના દેવામાફીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે આ નિર્ણયથી ભંડોળ પર અસર પડી શકે છે. રધુરામ રાજને કહ્યુ કે ''ખેડૂતોના દેવામાફીનો સૌથી વધારે ફાયદો સાંઠગાઠવાળાને મળે છે મોટેભાગે ગરીબ લોકોને લાભ મળવાની જગ્યાએ તેમણે મળે છે જેમની સ્થિતિ સારી હોય.'' તેમણે આગળ કહ્યુ કે ''જ્યારે દેવું માફ કરવામાં આવે છે તો દેશના ભંડોળ પર અસર પડે છે.''
Raghuram Rajan Economist and former RBI Governor on loan waivers for farmers: It often goes to the best connected rather than to the poorest. It also creates enormous problems for the fiscal of the state once the waivers are done. pic.twitter.com/xxkGOpcAko
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાદ દરમિયાન પોતાની રેલીઓમાં ખેડૂતોને વચન આપ્યુ કે ''જો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે'' ત્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી કોંગ્રેસના નેતા કમલનાથે કહ્યુ કે ''તેઓ જલ્દીથી આ વચનો પૂરા કરશે.''
પહેલા પણ થઇ ચૂક્યો છે વિરોધ:
આ પહેલી વખત નથી જ્યારે ખેડૂતોના દેવા માફી માટે વિરોધ થયો હયો આ પહેલા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પ્રદેશના ખેડૂતોનુ દેવું માફ કરવાનું વચન આપ્યુ ત્યારે પણ વિરોધ થયો ત્યારે દેશની સૌથી મોટી SBIના તત્કાલિન ચેરમેન અરૂંધતિ ભટ્ટાચાર્યે ખેડૂતોના દેવા માફીને આપત્તિ જણાવી હતી તેમણે અનુશાસન બગડવાની વાત કહી હતી આ સિવાય ખેડૂતોના દેવા માફીનો વિરોધ કરવામાં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એસ.એસ.મૂંદડા પણ શામેલ હતા.
આ રાજ્યોના ખેડૂતોને મળી છે રાહત:
ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગત વર્ષમાં રાજ્યના 86 લાખ ખેડૂતોનું લગભગ 30729 કરોડનું દેવું માફ કર્યુ હતુ. રાજ્યના 7 લાખ ખેડૂતોનું જે લોન એનપીએ બનાવ્યુ હતુ તે પણ માફ કરી દેવામાં આવ્યુ હતુ. આ સિવાય મહારાષ્ટ્રીની ભાજપ સરકાર 35 લાખ ખેડૂતોની 1.5 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી છે જ્યારે 9 લાખ ખેડૂતોને લોનનો વન ટાઇમ સેટેલમેન્ટનો ફાયદો આપ્યો છે. જ્યારે પજાંબની કોંગ્રેસ સરકારે 5 એકર સુધી ખેતી કરતા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યુ. કર્ણાટકની સહકારી બેંકમાંથી લેવાયેલી તમામ ખેડૂતોનું 50000 રૂપિયા સુધીનું દેવું માફ કર્યુ છે.