રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને ફરી એક વાર ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ચિંતા જાહેર કરી છે. તેઓએ મોદી સરકારની નીતિને લઈને ટીકા કરી છે. તેઓએ અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો લાવવા માટે અનેક સૂચનો પણ આપ્યા છે. લેબર, ટેલિકોમ, ભૂમિ અઘિગ્રહણ અને કૃષિ સંકટ જેવા મુદ્દાઓ પર પણ પોતાના સૂચનો આપ્યા છે.
RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આર્થિક મંદીને લઈને વ્યક્ત કરી ચિંતા
અર્થવ્યવસ્થાની સમસ્યામાંથી બહાર આવવાના ઉપાયો જણાવ્યા
PMOનું ધ્યાન અન્ય મહત્વના મુદ્દોઓ પર રહે છેઃ રઘુરામ રાજન
રઘુરામ રાજને પોતાના એક લેખમાં લખ્યું છે કે આર્થિક મંદીના કારણે દેશમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. સરકાર પોતાના સ્તર પર અનેક મોટા નિર્ણય લઈ ચૂકી છે પરંતુ તેની રિયલ લાઈફમાં કોઈ અસર જોવા મળી રહી નથી.
મોટી પ્રતિમાઓ નહીં, સ્કૂલ બનાવવાની છે જરૂર
રઘુરામ રાજનનું કહેવું છે કે ભારતને રાષ્ટ્રિય અને ધાર્મિક ન્યાયની મોટી પ્રતિમાઓ બનાવવાને બદલે વધારે સ્કૂલ અને વિશ્વ વિદ્યાલયો બનાવવા જોઈએ. હિન્દુ રાષ્ટ્રવાદ સામાજિક સ્ટ્રેસ વધારે છે અને ભારતનો આર્થિક વિકાસ પણ બગાડે છે.
સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર
રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનરે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે એક અસંગઠિત સરકાર આઈટીએસને સશક્ત કરીને તપાસ અને રોકાણ એજન્સીઓને ચલાવી રહી છે.તેઓએ લાંબા રોકાણને માટે બિઝનેસ પર ધ્યાન આપવાની જરૂર છે.
ફ્કત PMO લે છે નિર્ણય?
રઘુરામ રાજનનું માનવામાં આવે તો ભારતીય અર્થવ્યવસ્થામાં અસ્વસ્થતા જોવા મળી રહી છે. દેશમાં સત્તાનું કેન્દ્રીકરણ જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયની પાસે જ દરેક નિર્ણય શક્તિ છે. તેમના મંત્રીઓની પાસે કોઈ અધિકાર નથી. મોટા નિર્ણય પીએમઓમાંથી લેવામાં આવે છે. એટલું જ નહીં વિચારો અને યોજનાઓને પણ પીએમની આસપાસના લોકોનો એક નાનો સમૂહ નક્કી કરે છે.
વાતને દબાવવાથી સ્થિતિ બદલાશે નહીંઃ રાજન
રઘુરામ રાજનનું માનવું છે કે આર્થિક મંદીની સમસ્યામાંથી બહાર આવવા માટે સરકારે પહેલાં તો સમસ્યાનો સ્વીકાર કરવો પડશે. આંતરિક અને બાહ્ય સ્થિતિનો વિચાર કર્યા બાદ જ કોઈ ઉકેલ આવી શકશે. સરકારે સમજવાનું રહેશે તે કોઈ મોટી ન્યૂઝ કે અસુવિધાજનક સર્વેને દબાવવાથી રાહત મળશે નહીં. તેની પર ત્યારે જ કામ થશે જ્યારે પીએમઓ તેની પર ધ્યાન આપશે.
5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનું લક્ષ્ય મુશ્કેલ
રઘુરામ રાજને કહ્યું છે કે 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય મેળવવા માટે દર વર્ષે ઓછામાં ઓછું 8-9 ટકા વિકાસ દર જરૂરી છે. જે હાલમાં શક્ય જણાતો નથી. રઘુરામ રાજને લખ્યું છે કે યુવાઓમાં બેરોજગારી વધી રહી છે અને સાથે ઘરેલૂ કારોબારી રોકાણ પણ કરી શકાતું નથી. રોકાણમાં અટક સંકેત છે કે સિસ્ટમમાં ખામી છે. નિર્માણ, રિયલ એસ્ટેટ અને સ્ટ્રક્ચરમાં મુશ્કેલી છે. આ કારણે ઉધાર આપનારી બિનકાયગેસર બેંકિંગ નાણાં કંપનીઓ પણ સંકટમાં છે. બેંકોમાં ફસાયેલી લોનને કારણે નવી લોન આપવાની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
રાજને કહ્યું છે કે મોદી સરકાર મિનિમમ ગર્વમેન્ટ, મેક્સિમમ ગર્વનેંસના સૂત્રોથી સત્તામાં આવી છે. આ સૂત્રોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો. તેનો અર્થ એ હતો કે વધારે ક્ષમતા સાથે સરકાર કામ કરશે નહીં કે લોકો અને ખાનગી ક્ષેત્રના માથે કામનો વધારે ભાર નાંખશે.
રિયલ એસ્ટેટ સેક્ટર પર વધારે સંકટ
આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલી મંદી પર ફરીથી સરકારને ચેતવી છે. તેઓએ કહ્યું કે આ સેક્ટરમાં આર્થિક મંદીના કારણે પણ પ્રેશર વધ્યું છે. જો હવે પણ પગલાં લેવામાં નહીં આવે તો દેશને નુકશાન ભોગવવું પડશે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં લગભગ 3.3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ફસાયેલા છે. દ્યારે 4.65 લાખ યૂનિટ ઘર નિર્માણની પ્રક્રિયામાં અટકેલા છે. આ સ્થિતિના આધારે રઘુરામને કહ્યું ભારતના રિયલ એસ્ટેટનો વધારે સમય ખરાબ કર્યો છે.
સરકારી એજન્સીઓનો કરવામાં આવે યોગ્ય ઉપયોગ
રઘુરામ રાજને સરકારી એજન્સીઓના દુરઉપયોગ માટે મોદી સરકારની આલોચના કરી છે. તેઓએ કહ્યું છે કે સરકાર પોતાના અધિકારીઓને નબળા બનાવી રહી છે. કેમકે તેમને ભવિષ્યની સરકારો દ્વારા પર કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. રાજને લખ્યું છે કે પ્રોફેશનલિઝમનો અર્થ છે કે તપાસ એજન્સીઓ અને ટેક્સ એજન્સીઓને કોઈની પણ પાછળ પડવાની મંજૂરી આપવી જોઈએ નહીં.